ખંભાત: ભાલપંથકના 500થી વધુ ખેડૂતો દ્વારા સિંચાઈ કચેરી ખાતે પાણી મુદ્દે ધરણાં અને સૂત્રોચ્ચાર
ભાલપંથકના ખેડૂતો દ્વારા કાયમી સિંચાઈના પાણી અને નર્મદા સિંચાઈ યોજનામાં સમાવેશ કરવા મુદ્દે સિંચાઈ વિભાગ કચેરી ખેડૂતો ધરણાં પ્રદર્શન કર્યું હતું.પાણી આપો, જય કિસાન, કિસાન એકતા જિંદાબાદના સુત્રોચ્ચાર કર્યા હતા.સિંચાઈના પાણીનું કાયમી નિવારણ નહીં આવે તો 14મી સપ્ટેમ્બરે ગલિયાણા હાઇવે રોકો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.જો કે ખેડૂતોના ધરણાં દરમિયાન ધારાસભ્ય અને કાર્યપાલક ઈજનેરની બાંહેધરી બાદ ધરણાં સમેટાઈ હતી.પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરાયો હતો.