ખંભાતના નાના મોસમપુરા ખાતે રહેતા જયસિંહ સુમનસિંહ ભૈયાજીએ નાણાંની જરૂરિયાત હોઈ નાના કલોદરા ખાતે રહેતા વિશાલકુમાર અશ્વિનભાઈ પટેલ પાસે 4 લાખ 80 હજાર રૂપિયા ઉછીના લીધા હતા.જે નાણાં બે માસમાં ચૂકવી આપવા વિશ્વાસ અને વાયદો આપ્યો હતો. પરંતુ બાકીના નાણાં ચૂકવી ન આપતા ફરિયાદીએ ઉઘરાણી કરતા 18/04/2024ના રોજનો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ખંભાત શાખાનો 4 લાખ 80 હજારનો સહી કરીને રૂબરૂ ચેક લખી આપ્યો હતો.જે ચેક બેંકમાં જમા કરાવતા 'અપૂરતા ભંડોળ' શેરાથી રિટર્ન થયો હતો.