ખંભાતમાં રાલેજ ખાતે શ્રીમદ્ રાજચંદ્ર સ્મૃતિ સ્થાનની સ્થાપનાને ૨૯ વર્ષ પૂર્ણ થતા હોવાથી, તે મંગળકારી દિવસની ઉજવણી નિમિત્તે વિશેષ ભક્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.ગુરુવારે સાંજે 5 કલાક સુધી આત્મસિદ્ધિશાસ્ત્રની ભક્તિના અલગ અલગ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા.આરતી તથા મંગળદીવો કરી દર્શનાર્થીઓએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.અગાસ ખાતેથી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટ્યા હતા.