Public App Logo
Jansamasya
Amitshah
Uppolice
Live
Pratapgarh
Westbengal
Ballia
Farrukhabad
Mirzapur
Rain
Tikamgarh
Trending
Prayagraj
Modiji
Protest
���तरपुर
���ोगी_आदित्यनाथ
Letestnews
Arvindkejriwal
Weather
Noida
Rahul
Indianews
New_delhi
Akhileshyadav
Upnews
Newsupdate
Dehradun
Viralvideo
Pressconference

ખંભાત: રેલવે સ્ટેશનથી આકૃતિ તરફના નવા સીસી રોડ પર ગટરના ઢાંકણા તૂટ્યા, અકસ્માતનો મોટો ભય

Khambhat, Anand | Feb 19, 2026
ખંભાત રેલવે સ્ટેશનથી આકૃતિ તરફ જતા મુખ્ય માર્ગ પર ગટરના ઢાંકણા તૂટતા હાલ વાહનચાલકો માટે જોખમી સાબિત થઈ રહ્યો છે. રેલવે બ્રિજની કામગીરી ચાલતી હોવાને કારણે તંત્ર દ્વારા આ માર્ગ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જેના કારણે આ એકમાત્ર મુખ્ય માર્ગ પર હજારોની સંખ્યામાં વાહનોની અવરજવર વધી ગઈ છે. નોંધનીય છે કે, તાજેતરમાં જ લાખો રૂપિયાના ખર્ચે આ સીસી રોડ બનાવવામાં આવ્યો હતો. પરંતુ ભારે વાહનો અને સતત અવરજવરને કારણે ગટરના ઢાંકણા તૂટી જતાં ગટર ખુલ્લી થઈ ગઈ છે.
ખંભાત: રેલવે સ્ટેશનથી આકૃતિ તરફના નવા સીસી રોડ પર ગટરના ઢાંકણા તૂટ્યા, અકસ્માતનો મોટો ભય - Khambhat News