ખંભાત રેલવે સ્ટેશનથી આકૃતિ તરફ જતા મુખ્ય માર્ગ પર ગટરના ઢાંકણા તૂટતા હાલ વાહનચાલકો માટે જોખમી સાબિત થઈ રહ્યો છે. રેલવે બ્રિજની કામગીરી ચાલતી હોવાને કારણે તંત્ર દ્વારા આ માર્ગ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જેના કારણે આ એકમાત્ર મુખ્ય માર્ગ પર હજારોની સંખ્યામાં વાહનોની અવરજવર વધી ગઈ છે. નોંધનીય છે કે, તાજેતરમાં જ લાખો રૂપિયાના ખર્ચે આ સીસી રોડ બનાવવામાં આવ્યો હતો. પરંતુ ભારે વાહનો અને સતત અવરજવરને કારણે ગટરના ઢાંકણા તૂટી જતાં ગટર ખુલ્લી થઈ ગઈ છે.