ખંભાત: રેલવે સ્ટેશનથી આકૃતિ તરફના નવા સીસી રોડ પર ગટરના ઢાંકણા તૂટ્યા, અકસ્માતનો મોટો ભય
Khambhat, Anand | Feb 19, 2026 ખંભાત રેલવે સ્ટેશનથી આકૃતિ તરફ જતા મુખ્ય માર્ગ પર ગટરના ઢાંકણા તૂટતા હાલ વાહનચાલકો માટે જોખમી સાબિત થઈ રહ્યો છે. રેલવે બ્રિજની કામગીરી ચાલતી હોવાને કારણે તંત્ર દ્વારા આ માર્ગ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જેના કારણે આ એકમાત્ર મુખ્ય માર્ગ પર હજારોની સંખ્યામાં વાહનોની અવરજવર વધી ગઈ છે. નોંધનીય છે કે, તાજેતરમાં જ લાખો રૂપિયાના ખર્ચે આ સીસી રોડ બનાવવામાં આવ્યો હતો. પરંતુ ભારે વાહનો અને સતત અવરજવરને કારણે ગટરના ઢાંકણા તૂટી જતાં ગટર ખુલ્લી થઈ ગઈ છે.