Public App Logo
Profile Picture

aapnu dahod

@aapnudahod
1587Followers
4Following
દાહોદ જિલ્લાના લીમડી ખાતે ધી અર્બન કો-ઓપરેટીવ બેંક લિમિટેડની ચૂંટણી યોજાઈ

બેંકના ડિરેક્ટર પદ માટે મતદાન પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું

ચૂંટણી દરમિયાન મતદારોમાં મતદાન કરવા માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો

બેંકની પાંચ બેઠકો માટે કુલ નવ ઉમેદવારો વચ્ચે રસાકસીભર્યો માહોલ વચ્ચે ચૂંટણી જંગ જામ્યો

મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું હતું અને હવે સૌની નજર ચૂંટણીના પરિણામ પર છે
ગરબાડા ગાંગરડી અને ગાંગરડા રોડ ઉપર માર્ગ પર માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા યુદ્ધના ધોરણે પેચ વર્કની કામગીરી શરૂ

દાહોદ:- મુસાફરોની સુરક્ષા અને સુવિધાસભર યાતાયાતને પ્રાથમિકતા આપતા, માર્ગ અને મકાન વિભાગ, સ્ટેટ દાહોદ દ્વારા ગરબાડા – ગાંગરડી – ગાંગરડા –માર્ગ પર પડેલા ખાડાઓ અને ક્ષતિગ્રસ્ત ભાગોના સમારકામ માટે યુદ્ધના ધોરણે પેચ વર્કની કામગીરી હાથ ધરવામાં આવી છે. ચાલુ વરસાદી મોસમમાં પાણીના પ્રવાહને કારણે રસ્તાઓને નુકસાન પહોંચ્યું હતું, જેનાથી વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. આ બાબતને ધ્યાને લઈ માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા તાત્કાલિક માર્ગની સંપૂર્ણ તપાસ કરીને ઇકકો ફિક્સ મટીરીયલથી પેચવર્કની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

કામગીરીની ગુણવત્તા અને ટકાઉપણા પર વિશેષ ધ્યાન આપતા, પ્રથમ ક્ષતિગ્રસ્ત ભાગોમાંથી ઢીલી કપચી, કાદવ અને કચરો સાફ કરવામાં આવી રહ્યો છે. ત્યારબાદ જરૂરી સ્થળોએ રબલ, જી.એસ.બી. (ગ્રેન�
દાહોદ શહેરના પરેલ વિસ્તારમાં તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના તેમજ એક રાંધણ ગેસનો સિલિન્ડર મળી તસ્કરો કુલ રૂપીયા ૧૭,૦૦૦ની મત્તાની ચોરી કરી લઈ નાસી જતાં આ ચોરીની ઘટનાને પગલે વિસ્તારમાં સ્તબ્ધતા વ્યાપી જવા પામી છે.

દાહોદ પરેલ વિસ્તારમાં સી સાઈડ રેલ્વે કોલોનીમાં રહેતાં શૈલેષકુમાર શીવબચન સિંઘ તથા તેમનો પરિવારજનો ગત તારીખ ૩૧મી જુલાઈના રોજ બહાર ગામ ગયાં હતાં. આ દરમ્યાન કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી શૈલેષકુમાર સિંઘના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. અને મુખ્ય દરવાજાનું તાળુ તોડી મકાનમાં પ્રવેશ કરી મકાનમાં મુકી રાખેલ તિજાેરીમાંથી સોનાની નાકની ચુની, ચાંદીની વિછી તેમજ એક રાંધણ ગેસનો સિલિન્ડર મળી તસ્કરોએ કુલ રૂપીયા ૧૭,૦૦૦ની ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે શૈલેષકુમાર શીવબચન સિંઘએ દાહોદ બી ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દાહોદ જિલ્લાના ફતેપુરા બજારમાં ભાજપના કાર્યકર્તાને જાહેરમાં ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી : ત્રણ સામે ગુનો નોંધાયો
ઈએમઆરએસ ગરબાડા શાળામાં "નશા મુક્ત સુરક્ષિત ભારત અભિયાન" અંતર્ગત શપથવિધિનું આયોજન કરવામાં આવ્યું.

કાર્યક્રમ દરમિયાન ઈએમઆરએસ ગરબાડા શાળાના વાલીઓએ શાળા પરિસરમાં નશામુક્ત સમાજના નિર્માણ માટે શપથ લીધી.

ઉપસ્થિત વાલીઓને નશાના દૂષણથી દૂર રહેવા, પરિવાર અને સમાજને નશામુક્ત બનાવવા તેમજ અન્ય લોકોને પણ જાગૃત કરવા અપીલ કરવામાં આવી.

કાર્યક્રમનો મુખ્ય હેતુ નશા મુક્ત અને સુરક્ષિત ભારતના સંકલ્પને સાકાર કરવા જનજાગૃતિ ફેલાવવાનો રહ્યો હતો.
મુખ્ય દાહોદ જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવતની રાછવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત 

દાહોદ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવત દ્વારા ધાનપુર તાલુકાના રાછવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાયેલી સ્ટાફ મિટિંગમાં હાજરી આપી આરોગ્ય સેવાઓની કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.

મિટિંગ દરમિયાન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ અધિકારીઓ અને કર્મચારીઓની કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. વિવિધ રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમોની પ્રગતિ, સેવા ગુણવત્તા, સમયસર કામગીરી તેમજ દર્દીઓને વધુ સારી અને અસરકારક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ત્યારબાદ ડૉ. ઉદય ટીલાવત દ્વારા આશા વર્કરો સાથે સંવાદ યોજાયો હતો. સંવાદ દરમિયાન આશા વર્કરો દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં કરવામાં આવતી માતા-બાળ આરોગ્ય સેવાઓ, રસીકરણ, આરોગ્ય જાગૃતિ સહિતની વિવિધ કામગીરી અંગે માહિતી મેળવી હતી. 

ઉપરાંત, �
Mini Ladakh Of Dahod 🏔️♥️ ( Gujarat ) 
Tarmi Sanjeli Road ...

<nis:link nis:type=tag nis:id=dahod_ke_darshan nis:value=dahod_ke_darshan nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dahodsmartcity nis:value=dahodsmartcity nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=reelsinstagram nis:value=reelsinstagram nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=miniladakh nis:value=miniladakh nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=sanjeli nis:value=sanjeli nis:enabled=true nis:link/> 

Credit Cinematic Shots :-

@beingblush.films 
@raj_rajput.official 
@explore.with.utpal 
@moin_k_vlog_01 
@myjourneytells 

Thank You..🍁✨
ભગવાન બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન સેવા હેઠળ દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા દાહોદ જિલ્લાના 6 જેટલા રૂટો પર 6 નવી એસ.ટી. બસોને લીલી ઝંડી બતાવી રવાના કરવામાં આવી છે.
📍આવ્યા છો તો ફોલો કરતા જાવ😊

<nis:link nis:type=tag nis:id=gujarati nis:value=Gujarati nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujaratigk nis:value=GujaratiGK nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujaratifacts nis:value=GujaratiFacts nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=educationingujarati nis:value=EducationInGujarati nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=knowledge nis:value=knowledge nis:enabled=true nis:link/>
Video 9
દાહોદમાં "બોલ બમ કાવડ યાત્રા ગ્રુપ" દ્વારા 3જી ભવ્ય કાવડ યાત્રાનું આયોજન, 17 ઓગસ્ટે સવારે 8 વાગ્યે ગોધરા રોડ હાડા ટેન્ટ હાઉસથી કેદારનાથ મહાદેવ મંદિર, કલીડેમ સુધી ભક્તોની આસ્થાયાત્રા નીકળશે. હર હર મહાદેવ!<nis:link nis:type=tag nis:id=dahodnews nis:value=dahodnews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=viral nis:value=viral nis:enabled=true nis:link/>
દાહોદ રેલ્વે સ્ટેશન રોડ પર આવેલ રાજશ્રી કંગન સ્ટોરના માલિક અને કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી,ચાલુ વરસાદે કામ કરાવતા મહિલાને લાગ્યો કરંટ
'

✅🙏🔥પેજ ફોલો કરવાની જવાબદારી તમારી અને નોલેજ આપવાની જવાબદારી અમારી🙏✅🙏

આવી GPSC, class 3 અન્ય પરીક્ષા માટે ઉપયોગી એવું કરંટ અફેર્સ અને જનરલ નોલેજ ની અવનવી માહિતી મેળવવા માટે હમણાં જ અમારા પેજ ને ફોલો કરો.

🔥Follow કરો (નોલેજ વધારવા માટે)

🖤Like કરો (Post સારી લાગે તો)

◽Comment કરો (ઈચ્છા હોય તો)

✅Share કરો (તમારા મિત્રોને)

🔥Tag કરો (જે લોકોને આવી પોસ્ટ વાંચવી ગમતી હોય તેને) Like & share✓

<nis:link nis:type=tag nis:id=gpsc nis:value=gpsc nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=upsc nis:value=upsc nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=currentaffairs nis:value=currentaffairs nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gk nis:value=gk nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujarat nis:value=gujarat nis:enabled=true nis:link/>
દાહોદ જિલ્લામાં માછાણનાળા ડેમ અને કાળી ડેમ-2ની પરિસ્થિતિની અધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત

તા. 01/08/2026ના રોજ દાહોદ જિલ્લામાં ચાલુ ચોમાસાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ડેમોની સ્થિતિનું મૂલ્યાંકન કરવા માછાણનાળા ડેમ તથા કાળી ડેમ-2ની સ્થળ મુલાકાત લેવામાં આવી હતી.

માછાણનાળા ડેમની મુલાકાત દરમિયાન શ્રી જ્યંતિભાઈ બી. વણકર, ASI, SDRF, શ્રી એસ. એસ. નિનામા, નાયબ મામલતદાર (પૂર), ઝાલોદ તેમજ શ્રી જયેશકુમાર જી. લુહાર, જિલ્લા પ્રોજેક્ટ અધિકારી (DPO), દાહોદ ઉપસ્થિત રહ્યા હતા.
 
અધિકારીઓએ ડેમની સ્થિતિ, પાણીની આવક-જાવક તથા સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી અને સંબંધિત અધિકારીઓને જરૂરી તકેદારી રાખવા સૂચનાઓ આપી હતી.

એ સાથે કાળી ડેમ-2ની પણ સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન શ્રી જ્યંતિભાઈ બી. વણકર, ASI, SDRF, શ્રી એ. એસ. ચારેલ, નાયબ મામલતદાર (પૂર), ગોવિંદ ગુરુ લીમડી તેમજ શ્રી જયેશકુમાર જી. લુહાર, જિલ્લા પ્રોજેક્ટ અધિકારી (DPO), દાહોદ ઉપસ્થિત રહ્યા હતા. 

મુલાકાત દરમિયાન
દાહોદ જિલ્લામાં વરસાદથી ક્ષતિગ્રસ્ત માર્ગોનું તાત્કાલિક દુરસ્તીકરણ : માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ)ની ઝડપી કામગીરી

દાહોદ, સોમવાર : દાહોદ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી થયેલા વરસાદના કારણે માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ), હસ્તકના કેટલાક માર્ગો પર વરસાદી પાણીના પ્રવાહથી નુકસાન થયું હતું. વરસાદી માહોલમાં નાગરિકોને સુરક્ષિત અને સુવિધાયુક્ત વાહનવ્યવહાર મળી રહે તે માટે વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી દુરસ્તીકરણ અને સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે.

દાહોદ જિલ્લાના જુદા જુદા રસ્તાઓ ઉપર સાઈડ શોલ્ડરની કામગીરી કરવામાં આવી હતી આ સાથે અભલોડ પાંચવાડા જાંબુઆ ખાતે વરસાદી પાણીના નિકાળની કામગીરી પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ)ની ટીમ દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચી જરૂરી સમારકામ હાથ ધર્યું હતું.

આ ઉપરાંત વિભાગના અધિકારીઓ અને તકનીકી સ્ટાફ દ્વારા વરસાદમાં અસરગ્રસ્ત માર્ગોનું સતત નિરીક્ષણ કરવામાં આવી
રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૫૬ (દાહોદ-ગરબાડા-એમ.પી. બોર્ડર) પરથી વરસાદી પાણીનો યુદ્ધના ધોરણે નિકાલ કરાયો

*માર્ગ અને મકાન વિભાગ દ્વારા સતત પેટ્રોલિંગ: વાહનવ્યવહાર પૂર્વવત અને સુરક્ષિત*
૦૦૦
દાહોદ,
રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ, વડોદરા (માર્ગ અને મકાન વિભાગ) હેઠળ આવતી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પેટા વિભાગ, દાહોદની કચેરી દ્વારા પ્રજાહિતમાં અને વાહનચાલકોની સુવિધા માટે તાત્કાલિક ધોરણે પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે.
ચોમાસાની ઋતુ દરમિયાન દાહોદથી ગરબાડા થઈ મધ્યપ્રદેશ બોર્ડરને જોડતા *રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૫૬* પર કેટલાક સ્થળોએ વરસાદી પાણી ભરાઈ જવાના કારણે વાહનવ્યવહારમાં અડચણ ઊભી થવાની શક્યતા હતી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, પેટા વિભાગીય કચેરી દ્વારા યુદ્ધના ધોરણે ડામર સપાટી પરથી પાણીના નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

 રસ્તા પર ભરાયેલા પાણીનો ત્વરિત નિકાલ કરવામાં આવતા, ડામર રોડને થતું મોટું નુકસાન અટકાવી શકાયું છે. પાણીનો નિકાલ
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને તાલુકા સંકલન બેઠક યોજાઈ 

બેઠક દરમિયાન વિવિધ સરકારી વિભાગોની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. વિભાગો વચ્ચે વધુ સારા સંકલન સાથે વિકાસલક્ષી યોજનાઓના અસરકારક અમલીકરણ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

પ્રાંત અધિકારીએ વિવિધ વિભાગોના અધિકારીઓ પાસેથી કામગીરી અંગે માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ પ્રજાલક્ષી કાર્યો સમયમર્યાદામાં પૂર્ણ થાય અને લોકોને સરકારી સેવાઓનો ઝડપી લાભ મળે તે માટે જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી.

આ તાલુકા સંકલન બેઠકમાં વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
દાહોદ જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષતામાં ખેતીવાડી શાખા, પશુપાલન શાખા તેમજ આત્મા પ્રોજેક્ટની સમીક્ષા બેઠક યોજાઈ 

દાહોદ જિલ્લામાં ખેડૂતો અને પશુપાલકોને સરકારી યોજનાઓનો વધુમાં વધુ લાભ મળે તે માટે જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી.

બેઠક દરમિયાન ખેતીવાડી શાખા, પશુપાલન શાખા તેમજ આત્મા પ્રોજેક્ટ હેઠળ ચાલી રહેલી વિવિધ યોજનાઓની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.

યોજનાઓની પ્રગતિ, અમલીકરણની સ્થિતિ અને લાભાર્થીઓ સુધી યોજનાઓની પહોંચ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

જિલ્લા વિકાસ અધિકારીએ સંબંધિત અધિકારીઓને વધુમાં વધુ ખેડૂતો અને પશુપાલકોને વિવિધ સરકારી યોજનાઓનો લાભ મળી રહે તે માટે અસરકારક આયોજન અને સમયસર કામગીરી કરવાની સૂચના આપી હતી.

સાથે જ યોજનાઓનો લાભ યોગ્ય અને લાયક લાભાર્થીઓ સુધી પહોંચે તેમજ કામગીરીમાં ગુણવત્તા અને પારદર્શિતા જળવાઈ રહે તે માટે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.
દાહોદ સ્થિત કૃષિ સંશોધન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે "મકાઈની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ" વિષય પર એક દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરાયું 

કાર્યક્રમમાં ખેડૂતોને મકાઈના પાકની વૈજ્ઞાનિક ખેતી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં ગુણવત્તાયુક્ત બિયારણની પસંદગી, જમીનની તૈયારી, વાવણીની યોગ્ય પદ્ધતિ, ખાતર અને સિંચાઈ વ્યવસ્થાપન, જીવાત અને રોગ નિયંત્રણ તેમજ વધુ ઉત્પાદન મેળવવા માટેની આધુનિક ખેતી પદ્ધતિઓ અંગે માહિતી આપવામાં આવી હતી.

કૃષિ નિષ્ણાતોએ ખેડૂતોને વૈજ્ઞાનિક ખેતી અપનાવી ઉત્પાદન ખર્ચ ઘટાડવા અને પાકની ગુણવત્તા સાથે ઉત્પાદનમાં વધારો કરવા અનુરોધ કર્યો હતો.

તાલીમ કાર્યક્રમ દરમિયાન ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ સાથે ખેતી સંબંધિત વિવિધ યોજનાઓ અને નવી ટેક્નોલોજી અંગે પણ માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહી તાલીમનો લાભ લીધો હતો.
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં કંબોઇ પટેલ ફળીયા રોડ પર માઇનોર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ કરાયું 

લીમખેડા તાલુકામાં કંબોઇ પટેલ ફળીયા રોડ પર વરસાદી ઋતુમાં ગ્રામજનોની વર્ષોથી ચાલતી મુશ્કેલીનો હવે કાયમી ઉકેલ આવવાનો છે. પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ માર્ગ પર માઇનોર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.

ચોમાસા દરમિયાન ભારે વરસાદ પડતા અહીંનો કોઝવે પાણીમાં ડૂબી જતો હતો, જેના કારણે વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ જતો અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને વિભાગ દ્વારા બ્રિજના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે.

બ્રિજનું કામ પૂર્ણ થયા બાદ સ્થાનિક ગ્રામજનોને સુરક્ષિત, સરળ અને સુગમ વાહન વ્યવહારની સુવિધા મળશે. ચોમાસા દરમિયાન પણ અવરજવર ચાલુ રહી શકશે, જેના કારણે શિક્ષણ, આરોગ્ય, કૃષિ અને રોજિંદી જરૂરિયાતોની સેવાઓ સુધી પહોંચવું વધુ સરળ બનશે.

આ વિકાસ કાર્યથી સમગ્ર વિસ્તારને નવી ગ�
મિશન મંગલમ યોજના અંતર્ગત સ્વરોજગારને પ્રોત્સાહન આપવા માટે આસિસ્ટન્ટ મેનેજિંગ ડિરેક્ટર દ્વારા લીમખેડા સ્થિત RSETI કેન્દ્રની મુલાકાત લીધી 

મુલાકાત દરમિયાન કેન્દ્રમાં ચાલી રહેલી તાલીમ પ્રવૃત્તિઓ, સ્વરોજગારલક્ષી કોર્સ તેમજ લાભાર્થીઓને આપવામાં આવતી માર્ગદર્શન સેવાઓની સમીક્ષા કરવામાં આવી હતી.

આસિસ્ટન્ટ મેનેજિંગ ડિરેક્ટરે તાલીમાર્થીઓ સાથે સંવાદ કરી તેમની પ્રગતિ અંગે માહિતી મેળવી હતી તેમજ સ્વરોજગાર ક્ષેત્રે વધુમાં વધુ યુવાનોને તાલીમ અને માર્ગદર્શનનો લાભ મળે તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી.

તેમણે RSETI કેન્દ્ર દ્વારા આપવામાં આવતી કૌશલ્ય આધારિત તાલીમને વધુ અસરકારક બનાવી સ્વરોજગારની નવી તકો ઉભી કરવા પર ભાર મૂક્યો હતો. સાથે જ યોજનાનો લાભ વધુમાં વધુ લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.
ગરબાડા તાલુકાના વડવા એપ્રોચ રોડ પર GSB પેચવર્કથી માર્ગ પૂર્વવત્ કરાયો

દાહોદ, તા. ૧ ઓગસ્ટ, ૨૦૨૬: દાહોદ જિલ્લામાં ચોમાસા દરમિયાન પડેલા વરસાદના કારણે કેટલાક માર્ગોને નુકસાન પહોંચતાં સામાન્ય જનતા અને વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. 

આવી પરિસ્થિતિમાં પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા વરસાદથી અસરગ્રસ્ત માર્ગોની મરામત અને જાળવણીની કામગીરી યુદ્ધના ધોરણે સતત હાથ ધરવામાં આવી રહી છે, જેથી માર્ગ વ્યવહાર ઝડપથી પૂર્વવત્ થઈ શકે.

વરસાદી પાણીના સતત ભરાવા અને કાદવના કારણે ગરબાડા તાલુકાના વડવા એપ્રોચ રોડ પર વાહનવ્યવહાર પ્રભાવિત બન્યો હતો. 

સ્થાનિક નાગરિકોની સુવિધા અને માર્ગ સલામતીને ધ્યાનમાં રાખી વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે GSB (ગ્રેન્યુલર સબ-બેઝ) પેચવર્ક કામગીરી હાથ ધરવામાં આવી હતી. 

આ કામગીરી પૂર્ણ થતાં માર્ગની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે અને વાહનચાલકો માટે અવરજવર વધુ સરળ, સુરક્ષિત અને સુગમ બની છે.

પંચ�
દાહોદ ખાતે ‘મકાઈની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ’ વિષય પર એક દિવસીય ખેડૂત તાલીમ કાર્યક્રમ યોજાયો

દાહોદ, તા. ૧ ઓગસ્ટ, ૨૦૨૬: કૃષિ સંશોધન કેન્દ્ર, મુવાલિયા ફાર્મ, આણંદ કૃષિ યુનિવર્સિટી, દાહોદ ખાતે ‘સ્ટ્રેન્થનિંગ ઓફ એગ્રી-પોલિક્લિનિક ફોર ટ્રાઇબલ ફાર્મર્સ એટ દાહોદ’ યોજના અંતર્ગત તા. ૩૧ જુલાઈ, ૨૦૨૬ના રોજ “મકાઈની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ” વિષય પર એક દિવસીય ખેડૂત તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 

આ કાર્યક્રમમાં ગરબાડા તાલુકાના અભલોડ, પાંદડી, દાદુર તથા ભેહ ગામના આશરે ૮૦ જેટલા ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

ગુજરાતમાં મકાઈ ખોરાક, પશુચારા તેમજ વિવિધ ઔદ્યોગિક ઉપયોગો માટેનો મહત્વનો પાક છે. ખાસ કરીને દાહોદ જિલ્લો રાજ્યના અગ્રણી મકાઈ ઉત્પાદક જિલ્લાઓમાં સ્થાન ધરાવે છે. આધુનિક સંકર જાતો, સંતુલિત ખાતર વ્યવસ્થાપન અને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ અપનાવવાથી મકાઈના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો શક્ય બન્યો છે. આ હેતુને ધ્યાનમાં રાખી ખેડૂતોને આધુન�
દાહોદના કૃત્રિમ તળાવમાંથી ૬૫ વર્ષીય વૃદ્ધાનો મૃતદેહ મળતા ચકચાર પોલીસ-ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે
દાહોદ જિલ્લામાં સામાજિક સુરક્ષા અને સ્વરોજગાર યોજનાઓને મળ્યો વેગ : લાખો નાગરિકોને યોજનાઓની ધિરાણના અપાયા લાભ

*ગ્રામિણ વિસ્તારોમાં મહિલાઓના આર્થિક સશક્તિકરણ, સામાજિક સુરક્ષા અને સ્વરોજગારને વેગ આપવા માટે લીડ બેંકની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ*
૦૦
*ગુજરાત રાજ્યમાં દાહોદ જિલ્લો અટલ પેન્શન યોજનામાં અગ્રેસર*
૦૦૦
દાહોદ: ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને બેંકિંગ સેવાઓ સાથે જોડવા, સામાજિક સુરક્ષા સુનિશ્ચિત કરવા અને સ્વરોજગારને પ્રોત્સાહન આપવા માટે વિવિધ નાણાકીય યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાઓનો લાભ વધુમાં વધુ નાગરિકો સુધી પહોંચે અને દરેક વ્યક્તિ નાણાકીય રીતે સશક્ત બને તે માટે લીડ બેંક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અટલ પેન્શન યોજનાના ધિરાણ અંગે વાત કરીએ તો સમગ્ર ગુજરાત રાજ્યમાં દાહોદ જિલ્લો અટલ પેન્શન યોજનામાં અગ્રેસર રહ્યો છે.

કેન્દ્ર સરકારની જનકલ્યાણલક્ષી યોજનાઓને દાહોદ જિલ્લામાં લીડ ડિસ્ટ્રિક્ટ બેંક મેને�