Public App Logo
Profile Picture

aapnu dahod

@aapnudahod
1436Followers
4Following
દાહોદ શહેરમાં આવેલ રીધમ સોસાયટીમાંથી એકજ રાત્રીમાંથી એકસાથે બે મોટરસાઈકલોની ચોરી થતાં વાહન ચાલકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

દાહોદ શહેર સહિત જિલ્લામાં છેલ્લા ઘણા મહિનાઓથી ચોરી, લુંટ, ઘરફોડ, ચોરી વાહન ચોરી વિગેરે જેવા ગુન્હાઓમાં ઘરખમ વધારો જાેવા મળી રહ્યો છે. આ તમામ ગુન્હાઓમાં જાણે ગુન્હેગારો પોલીસને જાહેરમાં પડકાર ફેંકતી હોય તેમ પ્રતિત થઈ રહ્યું છે ત્યારે દાહોદમાં વાહન ચોરીના બનાવો પણ વધી રહ્યાં છે. દાહોદ શહેરમાં જુના ઈન્દૌર રોડ વિસ્તારમાં આવેલ રિધમ સોસાયટીમાં ગત તા.૧૨મી જુનના રોજ મોટરસાઈકલ ચોરીની ઘટના સામે આવી છે જેમાં રામલખમ રામહેત મીણા તથા અજેન્દ્રકુમાર હીરાલાલ મોઢીયાનાઓની પોતપોતાની મોટરસાઈકલ તેઓએ પોતાના ઘરના આંગણમાં લોક મારી પાર્ક કરી હતી. આ બંન્ને મોટરસાઈકલોને કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી બંન્ને મોટરસાઈકલોની ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે રામલખન રામહેત મીણાએ દાહોદ એ ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધા�
દેવગઢ બારીયા પોલીસને મળી મોટી સફળતા ચોરીની પાંચ મોટર સાયકલ સાથે વોન્ટેડ આરોપી ઝડપાયો
દાહોદ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતોના બનાવોમાં ઘરખમ વધારો જાેવા મળી રહ્યો છે. વાહન ચાલકોની ગફલતના કારણે નિર્દષ લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યાં છે. આરટીઓ અને ટ્રાફિક પોલીસની માર્ગ અકસ્માત નિવારણના ઝુંબેશ કાર્યક્રમમાં જિલ્લામાં નિષ્ફળ સાબીત થઈ રહ્યો તેમ પણ પ્રતિત થઈ રહ્યું છે ત્યારે જિલ્લામાં વધુ માર્ગ અકસ્માતના બે બનાવોમાં બે વ્યક્તિઓના મોતને પગલે પરિવારજનોમાં ગમનીની છવાઈ ગઈ છે.

માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ ધાનપુરના આંબાકાચ ગામે ઘાટી ઉતરતા રોડ ઉપર બનવા પામ્યો હતો જેમાં ગત તા.૦૮મી જુનના રોજ ધાનપુરના ગાંગરડી ફળિયા ગામે વાખળ ફળિયામાં રહેતાં માનસીંગભાઈ શકરાભાઈ આમલીયાર ગત તા.૦૮મી જુનના રોજ પોતાની મોટરસાઈકલ પર છાયાબેનને સાથે લઈ ધાનપુરના આંબાકાચ ગામે ઘાટી ઉતરતા રોડ પરથી પસાર થઈ રહ્યાં હતાં તે સમયે સામેથી રોંગ સાઈડ પરથી આવતા મોટરસાઈકલના ચાલકે પોતાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી માનસીંગભાઈ આમલીય
દાહોદ તાલુકામાં બે દિવસમાં એક સાથે ૪ લુંટની ઘટના બનતાં સમગ્ર દાહોદ જિલ્લામાં ચકચાર સાથે ખળભળાટ મચી જવા પામ્યો છે જેમાં ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થતાં વાહન ચાલકોની અજાણ્યા લુંટારૂઓએ આંતરી તેઓની પાસેથી રોકડા રૂપીયા, મોબાઈલ ફોન, સોના-ચાંદીના દાગી મળી લાખ્ખોનો મુદ્દામાલની લુંટ કરી અજાણ્યા લુંટારૂઓ ફરાર થઈ જવાના આ ચાર બનાવોને પગલે સ્તબ્ધતા વ્યાપી જવા પામી છે.

દાહોદ જિલ્લામાં ચોર, લુંટારૂઓને હવે મોકળું મેદાન મળી રહ્યું છે. કાયદાનો કોઈ ડર ન હોઈ અને જાણે પોલીસને ખુલ્લો પડકાર ફેંકતાં ચોર, લુંટારૂઓની હિંમત ખુલતા દાહોદ તાલુકામાં ચાર અલગ અલગ સ્થળોએ લુંટારૂઓએ વાહન ચાલકોને નિશાન બનાવ્યાં છે જેમાં પ્રથમ બનાવમાં ગત તા.૬ જુનના રોજ ગરબાડાના પાંદડી ગામે માળ ફળિયામાં રહેતાં પરેશભાઈ રતનભાઈ ડામોર તથા તેમના મિત્ર એમ બંન્ને જણા એક મોટરસાઈકલ પર સવાર થઈ દાહોદના કાળીતળાઈ ગામે દાહોદથી ઝાલોદ તરફ જતાં રસ્તા પરથી પસાર થઈ રહ્યાં હતાં તે સમયે બે મોટર�
દાહોદ અને દેવગઢ બારીયા વિસ્તારમાંથી બે મોબાઈલ ચોરીની ઘટનામાં દાહોદ એલસીબી પોલીસે આ બંન્ને ગુન્હામાં સંડોવાયેલ બે આરોપીઓને ઝડપી પાડી ચોરીમાં ગયેલ બંન્ને મોબાઈલ ફોન રીકવર કર્યાનું જાણવા મળે છે.

દાહોદ શહેરમાંથી અને દેવગઢ બારીઆ વિસ્તારમાંથી થોડા દિવસો પહેલા મોબાઈલ ચોરીની ઘટના બની હતી. આ મોબાઈલ ચોરીની ઘટના સંદર્ભે દાહોદ એલસીબી પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટેની કામગીરી હાથ ધરી હતી જેમાં પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે ટેકનીકલ સોર્સનો ઉપયોગ કરી આ બંન્ને ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓ જેમાં સંદિપભાઈ મહેશભાઈ સરાણીયા (રહે.રળીયાતી, લક્ષ્મીનગર પાછળ, તા.જિ.દાહોદ) અને ધરમસિંહ હરીરામ ચૌહાણ (રહે.દેવભુમી દ્વારકા)નાઓને તેઓના આશ્રમય સ્થાને પોલીસે ઝડપી પાડી આ બંન્ને ઈસમોએ ચોરી કરેલ બંન્ને મોબાઈલ ફોન પણ પોલીસે રીકવર કરી આ સંબંધે દાહોદ એલસીબી પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દાહોદ રળીયાતી આંબેડકર ભવન ખાતે વિશ્વ રક્તદાતા નિમિત્તે રક્તદાન અંગે જાગૃતિ સેમિનાર આયોજન
દાહોદ,વડોદરા,પંચમહાલ,છોટાઉદેપુર જિલ્લા તેમજ મધ્યપ્રદેશના વિસ્તારોમાં મોટરસાઈકલ ચોરીના પાંચ ગુન્હાઓને અંજામ આપનાર તેમજ તેની સાથે સાથે રાયોટીંગ, અપહરણ તેમજ પ્રોહીબીશનના ગુન્હાઓ મળી કુલ ૦૭ ગુન્હાઓમાં નાસતો ફરતો આરોપીને દેવગઢ બારીઆ પોલીસે ઝડપી પાડી ચોરીમાં ગયેલ પાંચ મોટરસાઈકલો કબજે કરી આરોપીને જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે.

દેવગઢ બારીયા પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે જેમાં દાહોદ, વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર જિલ્લાની સાથે સાથે મધ્યપ્રદેશના વિસ્તારોમાં મોટરસાઈકલ ચોરીઓને અંજામ આપનાર આરોપી બાલગીર લાલસીંગભાઈ તોમર (રહે.મધ્યપ્રદેશ)નાને તેના આશ્રય સ્થાનેથી દેવગઢ બારીઆ પોલીસે ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી ચોરીમાં ગયેલ પાંચ મોટરસાઈકલો પણ કબજે કરી છે. પોલીસે આરોપીની પુછપરછ કરતાં પોલીસ પણ ચોંકી ગઈ હતી અને જે મામલે પોલીસે તપાસ કરતાં આ ઝડપાયેલ નાસતા ફરતા આરોપીએ મોટરસાઈકલ ચોરીઓની સાથે સાથે રાયોટી
દાહોદ બ્રહ્માકુમારીઝ સેવા કેન્દ્ર દ્વારા યોગ જાગૃતિ માટે દાહોદ શહેરમાં વોક ફોર પીસ રેલી આયોજન
બ્રિજેશભાઈ (ગણેશ) ખંડેલવાલની દાહોદ શહેર ભાજપા મંત્રી તરીકે વરણી

દાહોદ શહેરમાં સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓમાં સતત સક્રિય રહેતા અગ્રણી બ્રિજેશભાઈ (ગણેશ) ખંડેલવાલને સંગઠનમાં મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. તેમની નિષ્ઠા અને સેવાકાર્યોને ધ્યાને રાખીને તેમને દાહોદ શહેર ભાજપા મંત્રી તરીકેનો હોદ્દો એનાયત કરવામાં આવ્યો છે.

દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી અને ભાજપ શહેર પ્રમુખ અર્પીલ શાહના હસ્તે બ્રિજેશભાઈ ખંડેલવાલને વિધિવત રીતે ભાજપનો ખેસ પહેરાવીને આ નવી જવાબદારી સોંપવામાં આવી હતી અને પદભાર પાઠવવામાં આવ્યો હતો.

"બ્રિજેશભાઈ (ગણેશ) ખંડેલવાલ લાંબા સમયથી દાહોદ શહેરમાં વિવિધ સેવાકીય કાર્યો દ્વારા લોકોની વચ્ચે રહીને કાર્ય કરી રહ્યા છે. સંગઠનમાં તેમની આ નિમણૂકથી પક્ષને વધુ મજબૂતી મળશે."બ્રિજેશભાઈ ખંડેલવાલની દાહોદ શહેર ભાજપ મંત્રી તરીકે વરણી થતાં જ દાહોદ નગરવાસીઓ, મિત્ર વર્તુળ અને પક્ષના કાર્યકરોમાં ભારે આનંદની લાગણી વ્ય
દાહોદ તાલુકાના બાવકા પ્રાથમિક શાળા ખાતે જનકલ્યાણ શિબિર યોજાઈ:ધારાસભ્યના હસ્તે PMJAY કાર્ડનું વિતરરણ કરાયું
લીમખેડામા સ્મશાન મુદ્દે તંત્રનો છબરડો, જમીની હકીકત છુપાવવા રદિયાનું રાજકારણ
સંજેલી તાલુકાના ઢેઢિયામાં દીપડાનો આંતક 3 બકરાને ફાડી ખાતાં મોત 2 બકરા ઘાયલ ગ્રામજનો ભયભીત!
ઝાલોદમાં આદિ હોસ્પિટલ સામે પાર્ક કરેલી ટ્રાવેરા અચાનક ગટરમાં ખાબકી
ધાનપુર મામલતદાર કચેરીના કર્મચારીનું બાઈક પર ઘરે જતી વેળાએ રસ્તામા હાર્ટ અટેકથી મોત : પરિવારમાં મોતનો માતમ છવાયો

રાજ્યમાં વધી રહેલા હાર્ટ એટેકને કારણે નાની વયના લોકોના મોતના કિસ્સાઓ ચિંતા વધારી રહ્યા છે. તેવા સમયે દાહોદ જિલ્લામાંથી એક આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. જેમાં ધાનપુર મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા એક કર્મચારીનું ચાલુ બાઈકે અચાનક હૃદય રોગના હુમલો થતાં મોત નીપજ્યું હતું. એકાળે થયેલા આ અવસાનથી મામલતદાર કચેરીના સ્ટાફ સહિત સમગ્ર પંથકમાં ભારે શોખની લાગણી વ્યાપી જવા પામી છે.

મળતી માહિતી મુજબ ૪૭ વર્ષીય રાજુભાઈ કેશવભાઈ ભૂરા ધાનપુર મામલતદાર કચેરીમાં સબ રજિસ્ટ્રાર શાખામાં પટાવાળા તરીકે વફાદારી પૂર્વક પોતાની ફરજ બજાવતા હતા. રોજબરોજની જેમ તેઓ ધાનપુર ખાતેથી પોતાની ફરજ પૂર્ણ કરીને પોતાની મોટરસાયકલ પર બેસી પરતનાંદવાગામે પોતાના ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન તેઓવાસિયા ડુંગરી ગામ નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓને છાતીમાં અ�
દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના વાડોદર ગામે મંદિર ફળિયાના યુવકે ગળે ફાંસો ખાઈ જીવતર ટૂંકાવ્યું

દેવગઢ બારિયા તાલુકાના વાડોદર ગામના ૪૩ વર્ષીય યુવકે કોઈ અગમ્ય કારણોસર આંબાના ઝાડની ડાળીએ દોરડું બાંધી ગળે ફાંસો ખાઈ જીવતર ટૂંકાવી લીધાનું સત્તાવાર રીતે જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગત અનુસાર દેવગઢ બારિયા તાલુકાના વાડોદર ગામના મંદિર ફળિયામાં રહેતા ૪૩ શંકરભાઈ લક્ષ્મણભાઈ બારીયાએ કોઈ અગમ્ય કારણોસર પરમદિવસ તારીખ ૧૦-૬-૨૦૨૬ ના રોજ રાત્રિના સાડા બાર વાગ્યાથી સવારમાં સાત વાગ્યા સુધીના છના સમયગાળામાં કોઈપણ વખતે પોતાના જ ગામના ખેડી ફળિયામાં ખેતરમાં આવેલ આંબાના ઝાડની ડાળીએ દોરડું બાંધી ગળે ફાંસો ખાઈ જીવતર ટુંકાવી લીધું હતું.

આ સંબંધે વાડોદર ગામના મંદિર ફળિયામાં રહેતા મરણજનાર શંકરભાઈ બારીયાના મોટાભાઈ મંગળસિંહ લક્ષ્મણભાઈ બારીયા એ પીપલોદ પોલીસ સ્ટેશનમાં લેખિત જાણ કરતાં પોલીસે આ સંદર્ભે સીઆરપીસી ૧૭૪ મુજબ અકસ્માત મોતના ગુનાના કાગ�
દાહોદ જિલ્લામાં વાહન ચાલકોની ગફલતના કારણે બે અલગ અલગ સ્થળોએ સર્જાયેલ માર્ગ અકસ્માતના બે બનાવોમાં બે વ્યક્તિઓના મોત નીપજ્યાંનું જાણવા મળે છે.

માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ દાહોદના ગમલા ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૦૬ જુનના રોજ એક ફોર વ્હીલર ગાડીના ચાલકે ફોર વ્હીલર ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી ગમલા ગામેથી પસાર થતાં હાઈવે રસ્તા પરના ડીવાઈડર સાથે ફોર વ્હીલર ગાડી જાેશભેર અથડાવતાં ફોર વ્હીલર ગાડીમાં સવાર સુમિતભાઈ (રહે.મધ્યપ્રદેશ), રીતીકભાઈ, પવનભાઈ અને હરીશભાઈ ઉર્ફે બાબુભાઈને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ પૈકી સુમિતભાઈનું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે આસપાસના લોકો સ્થળ પર દોડી આવ્યાં હતાં. ઘટનાની જાણ સ્થાનીક પોલીસને થતાં સ્થાનીક પોલીસ ૧૦૮ ઈમરજન્સી એમબ્યુલંશ સેવા મારફતે સ્થળ પર દોડી ગઈ હતી જ્યાં મૃતક અને ઈજાગ્રસ્તોને નજીકના દવાખાને લઈ ગયાં હતાં જ્યાં મૃતકના મૃતદેહને પીએમ માટે રવાના કરવાની સાથે સાથે ઈજાગ્રસ્ત�
પુરુષોત્તમ માસના પાવન અવસરે શ્રી અમરેશ્વર મહાદેવ મંદિર ખાતે પાવન કથાનું આયોજન કરવામાં આવ્યું હતું.

પુરુષોત્તમ માસના પવિત્ર અવસર નિમિત્તે શ્રી અમરેશ્વર મહાદેવ મંદિર, ગડી ફોર્ટ મામલતદાર  કચેરી , દાહોદ ખાતે પાવન કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહી કથાશ્રવણનો લાભ લીધો હતો.
કથાકાર શ્રી શ્યામાનંદ મહારાજજી એ પુરુષોત્તમ માસનું મહત્વ, ધર્મ, ભક્તિ, સદાચાર અને માનવ જીવનમાં આધ્યાત્મિક મૂલ્યોના મહત્વ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. ભક્તિમય વાતાવરણ વચ્ચે ભજન-કીર્તન તેમજ ધાર્મિક પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.મહાઆરતી સાથે મહાપ્રસાદી નું આયોજન કરવામાં આવેલ હતુ.
કાર્યક્રમ દરમિયાન ભક્તજનોમાં આધ્યાત્મિક જાગૃતિ અને ધાર્મિક ભાવનાનો સંચાર થયો હતો. આયોજન સમિતિ દ્વારા તમામ ઉપસ્થિત ભક્તજનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં ભાજપમાં મોટો ભડકો,આંતરિક વિખવાદનો વીડિયો વાયરલ 

સલારા-૧ બેઠક પર ભાજપ સામે બળવો કરી અપક્ષ જીતેલા ઉમેદવારે ભાજપને ટેકો આપતા પક્ષમાં ભારે હોબાળો.

કાર્યકરોનો રોષ પક્ષ સામે લડનારા બળવાખોરના ટેકાથી તાલુકા પંચાયત કેમ બનાવાય?" તેમ કહી વફાદાર કાર્યકરો અને સ્થાનિક નેતાઓમાં ભારે આક્રોશ.

નેતાઓ વચ્ચેની આંતરિક ખેંચતાણ અને બોલાચાલીનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થતાં રાજકારણ ગરમાયું.

સત્તા ટકાવવા ભાજપ બળવાખોરનો ટેકો ચાલુ રાખશે કે નારાજ વફાદાર કાર્યકરોને મનાવશે? વિપક્ષને મળ્યો મોટો મુદ્દો.
દાહોદ તાલુકાના આગાવાડા મુખ્ય પ્રાથમિક શાળા ખાતે જનકલ્યાણ શિબિર યોજાઈ : વિવિધ સરકારી યોજનાઓ અંગે જાગૃતિ સાથે આરોગ્ય સેવાઓનો લાભ અપાયો

રાજ્ય સરકારની જનકલ્યાણલક્ષી યોજનાઓનો લાભ વધુમાં વધુ નાગરિકો સુધી પહોંચે તેમજ આરોગ્ય સેવાઓ લોકોના દ્વાર સુધી પહોંચાડવાના હેતુથી દાહોદ તાલુકાના આગાવાડા મુખ્ય પ્રાથમિક શાળા ખાતે જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

શિબિર દરમિયાન આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, નમો શ્રી યોજના, વય વંદના યોજના સહિત વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી, માર્ગદર્શન અને વ્યાપક પ્રચાર  પ્રસાર પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. ઉપસ્થિત નાગરિકોને યોજનાઓના લાભ, પાત્રતા અને અરજી પ્રક્રિયા અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.

શિબિર દરમિયાન સ્થળ પર જ લાભાર્થીઓના દસ્તાવેજોની ચકાસણી કરી વિવિધ યોજનાઓ હેઠળ નોંધણીની કામગીરી પણ કરવામાં આવી હતી. જેમાં આયુષ્યમાન કાર્ડના 43 લાભાર્થીઓની નોંધણી, નમો શ્રી યોજના�
દાહોદ જિલ્લાના ખરવાણી ગામમાં પાણી માટે હાહાકાર.એક નાનકડા  ગંદા પાણીના ખાબોચ્યા માંથી ઘર વપરાશ તેમજ પીવા માટે ખાબોચ્યા માંથી પાણી ભરી લઈ જતા ગ્રામ જનો 

વીઓ 1-
દાહોદ જિલ્લાના ખરવાણી ગામમાં પાણીની ગંભીર સમસ્યાએ ગ્રામજનોનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે. ગામમાં પીવાના પાણીની અછત એટલી વધી ગઈ છે કે મહિલાઓને દરરોજ 1 થી 2 કિલોમીટર દૂર જઈને પાણી લાવવું પડી રહ્યું છે. ગામના તળાવો સુકાઈ જતાં લોકો હવે દૂષિત પાણી પીવા મજબૂર બન્યા છે.

વીઓ 2-
દાહોદ જિલ્લાના ખરવાણી ગામમાં ઉનાળાની ગરમી વચ્ચે પીવાના પાણીની સમસ્યા દિવસેને દિવસે વિકટ બની રહી છે. ગામના મુખ્ય જળસ્ત્રોત એવા તળાવો સંપૂર્ણપણે સુકાઈ જતાં ગ્રામજનોએ તળાવની અંદર ખાડા ખોદીને નીકળતા પાણીનો સહારો લેવો પડી રહ્યો છે.

વીઓ 3-
સ્થાનિકોના જણાવ્યા અનુસાર ખાડામાંથી મળતું પાણી સ્વચ્છ નથી અને દૂષિત સ્થિતિમાં છે. છતાં પણ અન્ય કોઈ વિકલ્પ ન હોવાથી ગ્રામજનો આ જ પાણી પીવા અને ઘરગથ્થુ ઉપયોગ માટે ભરી રહ્યા છે.સૌ�
દાહોદ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગદિવસની ઉજવણીના ભાગરૂપે ૧૫૦ થી વધુ યોગ શિબિરોનું આયોજન

*જિલ્લાના વધુને વધુ લોકો યોગને સમજે અને રોજિંદા જીવનમાં અપનાવે અને નિયમિત યોગાભ્યાસ કરી આરોગ્ય સુખાકારી મેળવે તે માટે આ શિબિરોમાં જોડાવા માટે કરાયો અનુરોધ*
૦૦૦
નિયામકશ્રી આયુષની કચેરી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગરના નિર્દેશનમાં અને જિલ્લા આયુર્વેદ અધિકારી દાહોદ તથા ઇન્ચાર્જ પ્રોગ્રામ અધિકારી-દાહોદ ડો.સુધીર જોશીના માર્ગદર્શનમાં આંતરરાષ્ટ્રીય યોગદિવસની ઉજવણીના ભાગરૂપે તમામ સરકારી આયુષ દવાખાનાઓ – આયુષ હોસ્પિટલો તથા આયુષમાન આરોગ્ય મંદિરો (આયુષ) તેમજ ઘટક તથા તાલુકા કક્ષાએ વિવિધ યોગશિબિરો સહિત અંદાજિત ૧૫૦ થી વધુ યોગશિબિરોનું આયોજન કરવામાં આવેલ છે. 

દાહોદ જીલ્લામાં ૧૨ આયુષમાન આરોગ્ય મંદિર (૧) AAM-ગડોઈ તા.દાહોદ (૨) AAM-ચોસાલા તા.દાહોદ (૩) AAM-ખરોદા તા.દાહોદ (૪) AAM-અગારા તા.લીમખેડા (૫) AAM-લુખાવાડા તા.લીમખેડા (૬) AAM-ગાંગરડા તા.ગરબાડા (૭) AAM-સહાડા ત
તાલુકા પંચાયત કચેરી સીંગવડમાં પીવાના પાણી અને સ્વચ્છતા મુદ્દે ઉપપ્રમુખ નીરાલીબેન અમિતકુમાર બારીયાની રજૂઆત મુલાકાતીઓ માટે મૂળભૂત સુવિધાઓ તાત્કાલિક સુધારવાની માંગ કરી 

તાલુકા પંચાયત કચેરીમાં આવતા મુલાકાતીઓને પીવાનું શુદ્ધ પાણી, સ્વચ્છતા તથા મૂળભૂત સુવિધાઓના અભાવને કારણે પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને ઉપપ્રમુખ દ્વારા તાલુકા વિકાસ અધિકારીશ્રી (TDO) સમક્ષ તાત્કાલિક લેખિત રજૂઆત કરવામાં આવી છે.
રજુઆતમાં જણાવાયું છે કે ગ્રામ્ય વિસ્તારથી આવતા નાગરિકોને લાંબા સમય સુધી રાહ જોવી પડે છે અને તે દરમિયાન પીવાના પાણી જેવી મૂળભૂત જરૂરિયાત પણ પૂરતી ઉપલબ્ધ નથી. ઉપરાંત કચેરી પરિસરમાં સ્વચ્છતા જાળવણીમાં પણ સુધારાની જરૂર જણાઈ રહી છે.
ઉપપ્રમુખ દ્વારા માંગ કરવામાં આવી છે કે કચેરી પરિસરમાં તાત્કાલિક RO સિસ્ટમ અથવા વોટર કુલર સ્થાપિત કરવામાં આવે, દૈનિક સફાઈ વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવે તથા મુલાકાતીઓ માટે જરૂરી સુવિધાઓ નિયમિત રીતે ઉપલબ્
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના દુધામલી ખાતે જનકલ્યાણ શિબિરમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, ધારાસભ્યશ્રી અને તાલુકા પંચાયત પ્રમુખશ્રીએ પોર્ટેબલ એક્સ-રે યુનિટની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી તેમજ PM-JAY કાર્ડનું વિતરણ કર્યું* 

*દાહોદ:ધાનપુર*
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના દૂધામલી ગામની મુખ્ય પ્રાથમિક શાળામાં જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત દાહોદના પ્રમુખ શ્રીમતી ગમાબેન મોહનિયા, ધારાસભ્યશ્રી બચુભાઈ ખાબડ તથા તાલુકા પંચાયત ધાનપુરના પ્રમુખશ્રી સોનલબેન ભુરીયા દ્વારા પોર્ટેબલ એક્સ-રે યુનિટની મુલાકાત લઈ આરોગ્ય સેવાઓની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. ઉપરાંત લાભાર્થીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) હેઠળના આયુષ્માન કાર્ડનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

મુલાકાત દરમિયાન આરોગ્ય વિભાગના અધિકારીઓ અને આરોગ્ય ટીમ દ્વારા મહાનુભાવોને પોર્ટેબલ એક્સ-રે યુનિટની કાર્યપદ્ધતિ, ટીબી રોગ સ્ક�
દાહોદ જિલ્લાનો તાલુકા સ્વાગત કાર્યક્રમ તા. ૨૨ જૂનના રોજ યોજાશે

દાહોદ જિલ્લામાં જુન-૨૦૨૬ નો તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ આગામી તા.૨૪/૦૬/૨૦૨૬ બુધવારના રોજ સંબંધિત મામલતદાર કચેરી ખાતે યોજાનાર હતો. જે હવે જુન માસનો તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ તા.૨૨/૦૬/૨૦૨૬ ને સોમવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે યોજવા જણાવેલ છે.
લીમખેડાના ધડેલા ગામ નજીક ટ્રિપલ અકસ્માત સર્જાયોકાર અને બે ટ્રક વચ્ચે ધડાકાભેર ટક્કર