Public App Logo
Profile Picture

aapnu dahod

@aapnudahod
1623Followers
4Following
Video 0
🙏 સુથારવાડા ચાર રાજા ગણપતિ બાપ્પાનું ભવ્ય આગમન 🎉🚩
ગણપતિ બાપ્પા મોરિયા! 🙏✨<nis:link nis:type=tag nis:id=dahod nis:value=dahod nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=devgadhbaria nis:value=devgadhbaria nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=piplod nis:value=piplod nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=aadivasi_culture🏹🏔️🏔️🏔️ nis:value=aadivasi_culture🏹🏔️🏔️🏔️ nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=aadivasi_culture🏹🏔️🏔️🏔️ nis:value=aadivasi_culture🏹🏔️🏔️🏔️ nis:enabled=true nis:link/>
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના જેતપુર ગામના ગ્રામજનો લાંબા સમયથી વીજ પુરવઠાની સમસ્યાનો સામનો કરી રહ્યા હોવાના આક્ષેપ
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયાના ઉચવાણ ગામેથી દીપડો પાંજરે પુરાયો

દેવગઢ બારીયાના ઉચવાણ ગામમાં છેલ્લા કેટલાક દિવસથી દીપડાની અવરજવર જોવા મળતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. દીપડાની હાજરીને પગલે ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો.

દીપડાને પકડવા માટે વન વિભાગ દ્વારા પાંજરું મૂકવામાં આવ્યું હતું. દરમિયાન શિકારની શોધમાં પાંજરા તરફ આવેલો દીપડો તેમાં ફસાઈ જતા વન વિભાગની ટીમે તેને પાંજરે પુર્યો હતો.

દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. છેલ્લા કેટલાક દિવસથી રહેલો ભય દૂર થતાં ગ્રામજનોમાં રાહતની લાગણી જોવા મળી હતી.
દાહોદ જિલ્લાના ઝાલોદમાં તસ્કરોનો ફરી આતંક, સાંઈધામ સોસાયટીમાં બાઈકના લોક તોડવાનો પ્રયાસ

ઝાલોદની સાંઈધામ સોસાયટીમાં મોડી રાત્રે અથવા વહેલી સવારે તસ્કરોની ચહલપહલ જોવા મળતાં સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો. મળતી માહિતી મુજબ, તસ્કરોએ સોસાયટી વિસ્તારમાં બાઈકોના લોક તોડવાનો પ્રયાસ કર્યો હતો.

દરમિયાન સ્થાનિક લોકો જાગી જતા તસ્કરો સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. સવારે આશરે પાંચ વાગ્યાના સમયે ખેતરના રસ્તે ભાગતા શંકાસ્પદ લોકો ડુંગળી ફળિયા વિસ્તારના એક મકાનના CCTV કેમેરામાં કેદ થયા હોવાનું જાણવા મળ્યું છે.

મહત્વનું છે કે આશરે બે મહિના અગાઉ પણ આ જ સોસાયટીના ત્રણ મકાનોમાંથી અંદાજે બે લાખ રૂપિયાની મત્તા તેમજ એક બાઈકની ચોરી થઈ હતી. આ જૂની ચોરીનો હજુ સુધી ભેદ ઉકેલાયો ન હોવાના અહેવાલ વચ્ચે તસ્કરોની ફરી સક્રિયતાથી સ્થાનિકોમાં ચિંતા વધી છે.

સોસાયટી વિસ્તારમાં તસ્કરોની અવરજવર સામે પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારી ચોરીના બનાવો પર અંકુશ લાવવામાં આવ�
પ્રોપર્ટી કાર્ડ અને જમીન માપણી સહિતની કામગીરી આજથી ઠપ

લેન્ડ રેકર્ડના કર્મચારીઓ દ્વારા વિવિધ માંગણીઓને લઈને પેનડાઉન આંદોલન શરૂ કરવામાં આવતા પ્રોપર્ટી કાર્ડ, જમીન માપણી સહિતની કામગીરી પર અસર પડવાની સ્થિતિ સર્જાઈ છે.

કર્મચારીઓની માંગણીઓનું નિરાકરણ નહીં આવતા આજથી કર્મચારીઓ અચોક્કસ મુદત સુધી ઓનલાઈન અને ઓફલાઈન કામગીરીથી દૂર રહેવાના હોવાથી જમીન માપણી, પ્રોપર્ટી કાર્ડ સહિતની કામગીરી ઠપ થવાની શક્યતા છે. કર્મચારીઓના આંદોલનને કારણે જમીન-મિલકત સંબંધિત કામકાજ માટે કચેરીઓમાં આવતા અરજદારોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. સરકાર દ્વારા કર્મચારીઓની માંગણીઓ અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.
આદિવાસી સંશોધન-વ-તાલીમ કેન્દ્રદેવગઢ બારિયા ખાતે ‘કિચન ગાર્ડન’ વિષયક ખેડૂત તાલીમ યોજાઈ

આદિવાસી સંશોધન-વ-તાલીમ કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, દેવગઢ બારિયા તથા જિલ્લા બાગાયત કચેરી, દાહોદના સંયુક્ત ઉપક્રમે ‘કિચન ગાર્ડન: રોજિંદા જીવનમાં ઉપયોગમાં આવતા ઘરગથ્થું શાકભાજી ઉત્પાદન’ વિષય પર એક દિવસીય ખેડૂત તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમમાં આદિવાસી સંશોધન-વ-તાલીમ કેન્દ્રના વડા ડૉ. એસ. એસ. થોરાત, બાગાયત અધિકારી શ્રી શક્તિસિંહ પરમાર, ડૉ. જી. કે. ભાભોર, શ્રી બુધાભાઈ બારિયા અને ડૉ. સી. જે. પટેલ દ્વારા કિચન ગાર્ડનના મહત્વ, પોષણ, પ્રાકૃતિક ખેતી, પાક સંરક્ષણ તેમજ સરકારની વિવિધ યોજનાઓ અંગે તાલીમાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

તાલીમ દરમિયાન જિલ્લા બાગાયત કચેરી દ્વારા વિવિધ ૧૦ પ્રકારના શાકભાજીના બીજનું વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે ટી.આર.ટી.સી., દેવગઢ બારિયા દ્વારા દરેક તાલીમાર્થીને ૧૦ સરગવાના રોપા આપવામાં આવ્યા હતા. આ પ્રવ�
દાહોદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ

દાહોદ શહેરમાં કાયદો-વ્યવસ્થા, રોડ સેફ્ટી અને અનધિકૃત દબાણો હટાવવા બાબતે તંત્ર દ્વારા વિશેષ ભાર

દાહોદ જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કાયદો અને વ્યવસ્થા, રોડ સેફ્ટી તેમજ અનધિકૃત દબાણો અંગેની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાનું ઉલ્લંઘન કરનારાઓ સામે કરવામાં આવેલી કડક કાર્યવાહીની સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત, ખેડૂતોને પાક સંરક્ષણ માટે આપવામાં આવેલા હથિયારના પરવાના અને પાસા (PASA) હેઠળ થયેલી કાર્યવાહીની પણ વિસ્તૃત ચર્ચા કરાઈ હતી.

રોડ સેફ્ટી અંગેની સમીક્ષા દરમિયાન જિલ્લામાં નોંધાયેલા અકસ્માતો અને તેમાં થયેલા મૃત્યુની આંકડાકીય માહિતી રજૂ કરવામાં આવી હતી. ગત મહિના દરમિયાન થયેલી કામગીરી જિલ્લા કલેક્ટરશ્રીના ધ્યાને મૂકવામાં આવી હતી. અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા માટે કલેક્ટરશ્રી�
ઇન્ટેન્સિફાઇડ આઈ.ઈ.સી. કેમ્પેઈન-૨૦૨૬ અંતર્ગત ગરબાડા ખાતે જનજાગૃતિ રેલી યોજાઈ

*૩87 જેટલા વિદ્યાર્થીઓએ રેલીમાં જોડાઈ એચ.આઈ.વી., ટીબી સહિતના રોગો અંગે જનજાગૃતિનો સંદેશો પ્રસરાવ્યો* 
૦૦૦
દાહોદ, 
દાહોદ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ ચેપી રોગોના નિયંત્રણ અને નિવારણ માટે જનજાગૃતિલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત  મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. ઉદયકુમાર ટીલાવત તથા જિલ્લા ટીબી-એચ.આઈ.વી. અધિકારીશ્રી ડૉ. આર.ડી. પહાડીયાના માર્ગદર્શન હેઠળ ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી, અમદાવાદની સૂચના અનુસાર ગરબાડા તાલુકાની પી.એમ. શ્રી મોડલ સ્કૂલ, ગરબાડા ખાતે “ઇન્ટેન્સિફાઇડ આઈ.ઈ.સી. કેમ્પેઈન-૨૦૨૬” અંતર્ગત જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

રેલીમાં પી.એમ. શ્રી મોડલ સ્કૂલના આશરે ૩87 જેટલા વિદ્યાર્થીઓ તથા એન.એ.સી.પી.ના કર્મચારીશ્રીઓએ ઉત્સાહપૂર્વક સહભાગી બની આરોગ્ય જાગૃતિનો સંદેશો પ્રસરાવ્યો હતો. રેલી દરમિયાન એચ.આઈ.�
સરકારી વિનિયન કોલેજ ગરબાડા ખાતે “ઇન્ટેન્સિફાઇડ IEC કેમ્પેઈન-2026” અંતર્ગત વિદ્યાર્થીઓ માટે આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ યોજાયો

ગરબાડા,દાહોદ, 
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાની શ્રી સરકારી વિનિયન કોલેજ ખાતે વિદ્યાર્થીઓમાં વિવિધ આરોગ્ય વિષયો અંગે જાગૃતિ લાવવા માટે “ઇન્ટેન્સિફાઇડ IEC કેમ્પેઈન-2026" અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી, અમદાવાદ દ્વારા આયોજિત આ કાર્યક્રમ  મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. ઉદય ટીલાવત તથા જિલ્લા ટીબી એચ.આઈ.વી. અધિકારીશ્રી ડૉ. આર.ડી. પહાડીયાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.

કાર્યક્રમ સાથે રેડ રિબન ક્લબ (RRC) અંતર્ગત પણ વિવિધ પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી. કાર્યક્રમમાં કોલેજના આશરે 310 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

કાર્યક્રમ દરમિયાન આરોગ્ય વિભાગના તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીઓને HIV/AIDS, ટીબી, સિફિલિસ, STI, લેપ્રસી અને હીપેટાઈટીસ જેવા મહત્વપૂર્ણ આરોગ્ય વિષયો અંગે વિસ્તૃત માહિતી આ
DAHOD AAGMAN!❤️😍
.
.
.
<nis:link nis:type=tag nis:id=trending nis:value=trending nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=fyp nis:value=fyp nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=viral nis:value=viral nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=reels nis:value=reels nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=explorepage nis:value=explorepage nis:enabled=true nis:link/>
દાહોદના પાંચવાડા ગામે ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ ટીબીના દર્દીઓને નિક્ષય પોષણ કીટનું વિતરણ કરાયું

*સ્થાનિક સરપંચ અને આરોગ્ય ટીમ દ્વારા ૬ ટીબી દર્દીઓને પોષણ સહાય કીટ એનાયત કરાઈ*
૦૦૦
ગરબાડા, દાહોદ,
ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ગરબાડા તાલુકાના પાંચવાડા ગામ ખાતે ટીબીના દર્દીઓને સારવાર દરમિયાન પોષણક્ષમ આહાર મળી રહે તે હેતુથી ‘નિક્ષય પોષણ કીટ’ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા ક્ષય અધિકારી તથા તાલુકા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં IMPACT INDIA ની PSMRI ટીમ અને KHPT ના સહયોગથી ગામના સરપંચશ્રી ડામોર દીતુબેન રામસિંગભાઈના હસ્તે ૬ ટીબી દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પાંચવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આયુષ મેડિકલ ઓફિસર ડૉ. રાગિની ઢિંગા, પી.એચ.સી. સુપરવાઇઝર મહેશ નીનામા, પીએમ મનોજીત બિસવાસ, ડીએલ પરેશભાઈ, સીસી જ્યોત્સનાબેન નળવાયા સહિત આરોગ્ય �
આથી દાહોદ જિલ્લાના દેશી ગાય નિભાવ ખર્ચ યોજના હેઠળ લાભ લેતા ખેડુતોને જણાવવાનુંકે વર્ષ ૨૦૨૦-૨૧ અને વર્ષ ૨૦૨૧-૨૨ દરમ્યાન  આઇ ખેડુત પોર્ટલ મારફતે અરજી કરેલ લાભાર્થીઓ પૈકી જે લાભાર્થીઓની અરજી મંજુર થયેલ હતી અને જેમને માર્ચ ૨૦૨૬ અંતિત લાભ મળેલ છે. એ તમામ લાભાર્થીઓને વર્ષ ૨૦૨૬-૨૭ દરમ્યાન પ્રથમ હપ્તા ના લાભ માટે જુના પોર્ટલ ની જગ્યાએ નવા આઇ ખેડુત ૨.૦ પોર્ટલમાં પ્રોફાઇલ બનાવી આધાર વેરિફિકેશન કરાવવાનું થાય છે. જે માટે અત્રેની કચેરી મારફ્તે તમામ લાભાર્થીઓને આત્મા સ્ટાફ, ખેડુત મિત્ર દ્વારા ટેલિફોનિક સુચના આપવામાં આવેલ. તેમ છતા અમુક લાભાર્થીઓ દ્વારા હજી સુધી આઇ ખેડુત ૨.૦ પોર્ટલમાં અરજી ચડાવેલ કે આધાર વેરિફિકેશન કરાવેલ  નથી. જેના કારણે સદર લાભાર્થીઓની સ્થળ ચકાસણી ન થઇ શકવાના કારણે લાભથી વંચીત રહી શકે તેમ છે. માટે દાહોદ જિલ્લાના જુના તમામ લાભાર્થીઓને આઇ ખેડુત ૨.૦ મા પ્રોફાઇલ બનાવી આધાર વેરિફિકેશન દિન -૧૦ માં કરાવવા જણાવવામાં આવે છે. સદર પ્ર�
પ્રાકૃતિક ખેતીથી જમીનની ફળદ્રુપતા જળવાશે અને ખેડૂતોનો ખર્ચ ઘટશે: કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, દાહોદ ખાતે તાલીમ વર્ગ યોજાયો

*ધાનપુર તાલુકાના ખેડૂતોને જીવામૃત, ઘન જીવામૃત અને વાપસા પદ્ધતિનું અપાયું સઘન માર્ગદર્શન*
દાહોદ,
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, દાહોદ ખાતે ધાનપુર તાલુકાના ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી વિષયક એક દિવસીય તાલીમ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ વર્ગમાં ઉપસ્થિત નિષ્ણાતો દ્વારા ખેડૂતોને રાસાયણિક મુક્ત, ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના વિવિધ પાસાઓ અને તેનાથી થતા આર્થિક તથા પર્યાવરણીય ફાયદાઓ અંગે વિગતવાર માહિતગાર કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન કૃષિ નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશક દવાઓના અતિશય અને બેફામ ઉપયોગને કારણે જમીનની ફળદ્રુપતા અને ઉપજ ક્ષમતામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આ પરિસ્થિતિ સામે પ્રાકૃતિક ખેતી એક ઉત્તમ અને ટકાઉ વિકલ્પ છે. ગાય આધારિત ખેતી પદ્ધતિ અપ�
દાહોદ જિલ્લાના ગરબાડા CHC ખાતે પોષણ માસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો

દાહોદ:- ગરબાડા CHC ખાતે પોષણ માસ નિમિત્તે “આપણી આંગણવાડી, આપણી જવાબદારી” વિષય પર માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. 

આ પ્રસંગે જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી ડો સુધીર જોશીએ પોષણ, આંગણવાડીની કામગીરી તથા બાળકો, સગર્ભા માતાઓ અને ધાત્રી માતાઓના આરોગ્ય અને પોષણ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

કાર્યક્રમમાં CHCના મેડિકલ ઓફિસર , ડેન્ટલ સર્જન, હોમિયોપેથીક તબીબ તથા CHC નો સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. 

ઉપસ્થિત સૌએ પોષણ જાગૃતિ વધારવા અને આંગણવાડીની સેવાઓને વધુ અસરકારક બનાવવામાં સહભાગી થવાનો સંકલ્પ કર્યો હતો.
મહેસૂલી તલાટીઓના સેજામાં સમાવિષ્ટ ગામોમાં હાજર રહેવા અંગેનું સમયપત્રક જાહેર

મહેસૂલ વિભાગ દ્વારા નાગરિકોને સ્થાનિક સ્તરે મહેસૂલી સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થાય અને ગ્રામજનોને પોતાના ગામમાં જ મહેસૂલી તલાટીનો સંપર્ક મળી રહે તે હેતુથી મહેસૂલી તલાટીઓના સેજામાં સમાવિષ્ટ ગામોમાં હાજર રહેવા અંગેનું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે.

જાહેર કરાયેલા સમયપત્રક મુજબ સંબંધિત મહેસૂલી તલાટીઓ અઠવાડિયાના નિયત દિવસોએ સેજામાં સમાવિષ્ટ અલગ-અલગ ગામોમાં હાજર રહેશે. 

આ દરમિયાન ગ્રામજનો પોતાના મહેસૂલી કામકાજ, જરૂરી પ્રમાણપત્રો, અરજીઓ તથા અન્ય મહેસૂલી સેવાઓ અંગે સંબંધિત તલાટીનો સંપર્ક કરી શકશે.

સમયપત્રકમાં મહેસૂલી તલાટીના નામ, મોબાઇલ નંબર, સેજાનું નામ, સેજામાં સમાવિષ્ટ ગામોના નામ તેમજ જે દિવસે સંબંધિત ગામ/ગ્રામ પંચાયત ખાતે હાજર રહેવાનું હોય તે દિવસની વિગતો આપવામાં આવી છે. 

ગ્રામજનોને પોતાના ગામ માટે નિયત કરાયેલા દિવસની નોંધ લઈ તે દિવસે સંબંધિ�
દાહોદ જિલ્લાના સુખસર તાલુકાના લખણપુરમાં એગ્રીકલ્ચર વીજ લાઈન સાત ગાળાના વીજ વાયરોની ચોરી

વીજ વાયરોની ચોરી થતા ખેડૂતોએ સુખસર પોલીસ સ્ટેશન સહિત ફતેપુરા એમ.જી.વી.સી.એલ માં જાણ કરી

દાહોદ તા.૧૧

સુખસર તાલુકામાં વરસાદના અભાવે તમામ ખેતી પાકો નિષ્ફળ જવાના આરે ઉભેલા છે.તેવા જ સમયે કેટલાક કુવાઓમાં સામાન્ય કહી શકાય તેટલું પાણી હોય તે પાણીથી મોટરો દ્વારા ખેતીમાં પાણી પહોંચાડવા ખેડૂતો મરણિયો પ્રયાસ કરી રહ્યા છે.અને તેવા જ સમયે લખણપુરના તળગામ ફળિયા ખાતે કોઈ જાણભેદુ ચોર લોકોએ એગ્રીકલ્ચર વીજ લાઈનના વાયરોની ચોરી કરી જતા નવીન વીજ વાયરો નાખવા માટે સુખસર પોલીસ સ્ટેશન સહિત ફતેપુરા એમજીવીસીએલ તંત્રોને લેખિત જાણ કરવામાં આવેલ છે.છતાં તંત્રો દ્વારા દિવસો વીતવા છતાં બેદરકારી દાખવવામાં આવતાં રહ્યા સહ્યા પાકો પણ સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી હોવાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે.જેથી વહેલી તકે વીજ વાયરો નાખી વીજ પ્રવાહ ચાલુ કરવામાં આવે તેવી માંગ કરવામા�
" दाहोद छाब तालाब" का संपूर्ण इतिहास 📜 
The Epic Saga Of Dahod ( दाहोद की दास्तान ) 
सीरीज 01 

इतिहास को विस्तार से जानने के लिए 
हमारे यूट्यूब चैनल पर प्रस्थान करे

🎞️ Dahod Ke Darshan 
&
♦️ Dahod Today 

🔔 Subscribe 

Our Channels 

<nis:link nis:type=tag nis:id=dahod_ke_darshan nis:value=dahod_ke_darshan nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dahodtoday nis:value=dahodtoday nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=chabtalav nis:value=chabtalav nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=historical nis:value=historical nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dahodkidastan nis:value=Dahodkidastan nis:enabled=true nis:link/>
Lalbaugcha Raja 2026❤️🙇🙏..
ગણેશ ચતુર્થી 2026 🌺

ગણપતિ સ્થાપના
14/09/2026 - સોમવાર

જે ભગવાન ને 5 (પાંચ) દિવસ બેસાડી ને નૌમ નું (6) દિવસે વિસર્જન કરે છે તેમને આ વર્ષ 7 માં દિવસે વિશર્જન કરવુ..

અનંતચતુર્દશી ગણેશ વિશર્જન
25/09/2026 - શુક્રવાર

નોંધ :- આ વર્ષે ગણેશ ઉત્સવ તિથિ ના કારણે 11 (અગિયાર) દિવસનો રહેશે અને બારમાં દિવસે વિસર્જન છે..

shastri shivang bhatt
9510599953

<nis:link nis:type=tag nis:id=ganeshutshav2026#dahod#viralpost nis:value=ganeshutshav2026#dahod#viralpost nis:enabled=true nis:link/>
<nis:link nis:type=tag nis:id=bappa nis:value=bappa nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ganpati nis:value=ganpati nis:enabled=true nis:link/>
દાહોદ ઝાયડસ હોસ્પિટલ કેમ્પસમાં જનરલ હોસ્પિટલ સંચાલિત બાળ સંજીવની કેન્દ્ર (NRC) ખાતે '૯માં પોષણ માસ'ની શાનદાર ઉજવણી
દાહોદ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા નિયમોના ભંગ બદલ ચલણી કાર્યવાહી

દાહોદ નગરપાલિકા દ્વારા રેલવે સ્ટેશન રોડ વિસ્તારમાં સ્વચ્છતા અંગેના નિયમોનું પાલન થાય તે માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

SWM Rules, 2026 અંતર્ગત સ્વચ્છતા નિયમોના ભંગ બદલ જવાબદાર લોકો સામે ચલણી કાર્યવાહી કરવામાં આવી હતી. જાહેર સ્થળોએ સ્વચ્છતા જાળવવા અને કચરા વ્યવસ્થાપનના નિયમોનું પાલન કરવા અંગે પણ જરૂરી સૂચના આપવામાં આવી હતી.

નગરપાલિકા દ્વારા સ્વચ્છતા નિયમોનું પાલન કરવા અને જાહેર સ્થળોને સ્વચ્છ રાખવા માટે નાગરિકોને સહયોગ આપવા અપીલ કરવામાં આવી હતી.
દાહોદ જિલ્લાના ધાનપુરના બજારમાંથી ધાનપુર પોલીસે એક પીકપ બોલેરો ગાડીમાંથી વિદેશી દારૂ તથા બીયરનો કુલ રૂપિયા 2,52,600ના પ્રોહી જથ્થા સાથે ગાડીમાં સવાર ચાલક સહિત બે ઈસમોની પોલીસે અટકાયત કરી ગાડી ની કિંમત મળી પોલીસે કુલ રૂપિયા 6,10,600નો મુદ્દામાલ કબજે કર્યાનું જાણવા મળે છે.

ગત તારીખ 9 સપ્ટેમ્બર ના રોજ ધાનપુર પોલીસ ધાનપુર બજારમાં પેટ્રોલિંગમાં નીકળી હતી ત્યારે તે સમયે ત્યાંથી શંકાસ્પદ લાગતી એક બોલેરો ગાડી ત્યાંથી પસાર થઈ હતી. પોલીસે ગાડી નજીક જઈ ગાડીના ચાલક સહિત તેની સાથેનો અન્ય એક ઈસમ જેમાં અમરતભાઈ સોમાભાઈ કોળી (રહે. ડાંગરિયા, હોળી ફળિયુ, તા. દેવગઢ બારીયા, જી. દાહોદ) અને હિંમતભાઈ રૂમાલભાઈ પલાસ (રહે. આમલી ખજુરીયા, ખાડા ફળિયુ, તા.ગરબાડા, જી. દાહોદ) એમ બંને ઈસમોની પોલીસે પૂછપરછ કરતા પોલીસને સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી પોલીસે ગાડીની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂ તથા બિયરની બોટલો નંગ.1704 જેની કુલ કિંમત રૂપિયા 2,52,600ના પ્રોહિબિશન જથ્થા સાથે ગાડી �
દાહોદ ગ્રામસેવક મંડળ દ્વારા પડતર પ્રશ્નો મુદ્દે આવેદનપત્ર

દાહોદ ગ્રામસેવક મંડળ દ્વારા લાંબા સમયથી પડતર રહેલા વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે કલેક્ટર સુરભી ગૌતમ અને જિલ્લા ખેતીવાડી અધિકારીને રૂબરૂ રજૂઆત કરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

ગ્રામસેવક મંડળ દ્વારા અન્ય કેડરના કામનું વધારાનું દબાણ દૂર કરવાની મુખ્ય માંગ કરવામાં આવી હતી. ગ્રામસેવકો પર સોંપવામાં આવતા વધારાના કામના કારણે તેમની કામગીરી પર પડતી અસર અંગે પણ તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત લાંબા સમયથી પડતર રહેલી અન્ય મુખ્ય માંગણીઓનો પણ વહેલી તકે ઉકેલ લાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. ગ્રામસેવક મંડળે કર્મચારીઓના પ્રશ્નો અંગે હકારાત્મક નિર્ણય લઈ યોગ્ય કાર્યવાહી કરવા તંત્ર સમક્ષ માંગ કરી છે.
દાહોદ અને ગરબાડા તાલુકાના ગ્રામસેવકોની યોજનાકીય કામગીરીની સમીક્ષા

દાહોદ જિલ્લા ખેતીવાડી અધિકારીની અધ્યક્ષતામાં દાહોદ તથા ગરબાડા તાલુકાના ગ્રામસેવકોની યોજનાકીય કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી.

બેઠક દરમિયાન બંને તાલુકાના ગ્રામસેવકો દ્વારા કરવામાં આવતી વિવિધ યોજનાકીય કામગીરીની સેજાવાર સમીક્ષા કરવામાં આવી હતી. યોજનાઓના અમલીકરણની પ્રગતિ, બાકી રહેલી કામગીરી તેમજ લાભાર્થીઓ સુધી યોજનાનો લાભ પહોંચાડવા અંગે જરૂરી ચર્ચા કરવામાં આવી હતી.

આ દરમિયાન બાકી રહેલી કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવા તેમજ યોજનાકીય કામગીરીમાં જરૂરી ઝડપ અને ચોકસાઈ જાળવવા ગ્રામસેવકોને જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.