Public App Logo
Profile Picture

aapnu dahod

@aapnudahod
1529Followers
4Following
દાહોદ જીલ્લાના ધાનપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ ખલતા ગામે ટીબી મુક્ત ભારત અભિયાન 2.0 અંતર્ગત વિશેષ આરોગ્ય કેમ્પ યોજાયો

દાહોદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ધાનપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ  ખલતા ગામ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન 2.0 હેઠળ “તમારા ગામમાં તમારા દ્વાર સુધી” હાઈ રિસ્ક વિલેજ ઝુંબેશ અંતર્ગત વિશેષ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પનો મુખ્ય ઉદ્દેશ ગ્રામ્ય અને દુર્ગમ વિસ્તારોમાં વસવાટ કરતા નાગરિકોમાં ટીબી જેવી ગંભીર ચેપજન્ય બીમારીની સમયસર ઓળખ કરી યોગ્ય સારવાર સુલભ કરાવવાનો હતો.
આ આરોગ્ય કેમ્પ દરમિયાન પોર્ટેબલ એક્સ-રે મશીન દ્વારા કુલ 147 હાઈ રિસ્ક લાભાર્થીઓનું ટીબી માટે સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. ઉપરાંત, લાભાર્થીઓને વજન, ઊંચાઈ, બ્લડ પ્રેશર તેમજ ડાયાબિટીસ જેવી સામાન્ય આરોગ્ય તપાસની સેવાઓ પણ પ્રદાન કરવામાં આવી હતી, જેના પરિણામે એક જ સ્થળે સર્વગ્રાહી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થઈ શકી હતી.
આ કાર્ય
દાહોદ જિલ્લામાં રથયાત્રા સંદર્ભે ટ્રાફિક ડાયવર્ઝન અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

દાહોદ,૧૩ જુલાઈ
 આગામી તારીખ ૧૬/૦૭/૨૦૨૬ના રોજ દાહોદ શહેરમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળનાર છે. આ રથયાત્રા દરમિયાન દાહોદ શહેર તથા જિલ્લાની પ્રજાને રોજિંદી કામગીરીમાં ટ્રાફિકની મુશ્કેલી ન નડે, ટ્રાફિકનું યોગ્ય નિયમન જળવાય અને કાયદો તેમજ વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી જે.એમ. રાવલ દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧)(ખ) હેઠળ ટ્રાફિક ડાયવર્ઝનનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આ જાહેરનામું તારીખ ૧૬/૦૭/૨૦૨૬ના રોજ સવારે ૦૫:૦૦ વાગ્યાથી રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી અમલમાં રહેશે. જાહેરનામા અનુસાર વિવિધ વિસ્તારો માટે નીચે મુજબ રૂટ ડાયવર્ઝન અમલી રહેશે:
*દાહોદ શહેર વિસ્તાર માટે ટ્રાફિક નિયમો અને વૈકલ્પિક રૂટ:*

*એસ.ટી. બસો માટે પ્રતિબંધ અને નવો રૂટ:*
જેસાવાડા, ગરબાડા, ખંગેલા, કતવારા અને પીટો�
કલા મહાકુંભ:૨૦૨૬-૨૭ દાહોદ જિલ્લાના સ્પર્ધકો/કલાકારો માટે સ્પર્ધા મા ભાગ લેવા અરજી મોકલવાની છેલ્લી તારીખ ૫ ઓગસ્ટ ૨૦૨૬

ગુજરાત સરકારશ્રીનાં રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર તેમજ કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર આયોજીત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી દાહોદ દ્ધારા સંચાલીત “કલામહાકુંભ’ ૨૦૨૬-૨૭’ નું આયોજન કરવામાં આવનાર છે. 

આ કલા મહાકુંભમાં (૧) ૦૬ થી ૧૪ વર્ષ (૨) ૧૫ થી ૨૦ વર્ષ (૩) ૨૧ થી ૫૯ વર્ષ (૪) ૬૦ વર્ષથી ઉપરના એમ ૦૪ (ચાર) વયજુથનાં સ્પર્ધકો ભાગ લઇ શક્શે. સ્પર્ધકોની ઉંમર તા.૩૧/૧૨/૨૦૨૬ ની સ્થિતિએ ગણવાની રહેશે.

કલા મહાકુંભ સ્પર્ધામાં (૧)વકતૃત્વ (૨)નિબંધ લેખન (૩)કાવ્ય લેખન (૪)ગઝલ શાયરી લેખન (૫)લોકવાર્તા (૬)દુહા-છંદ-ચોપાઇ (૭)ચિત્રકલા (૮)સર્જનાત્મક કારીગરી (૯)લોક્નૃત્ય (૧૦)રાસ (૧૧)ગરબા (૧૨)ભરતનાટ્યમ (૧૩)કથ્થક (૧૪)કુચિપુડી (૧૫)ઓડીસી (૧૬)મોહીનીઅટ્ટ્મ (૧૭)શાસ્ત્રીય કંઠ્ય સંગીત(હિન્દુસ્તાની) (૧૮)સુ
દાહોદ નજીક નેશનલ હાઈવે પર અવારનવાર થતા ગમખ્વાર અને જીવલેણ અકસ્માતો અંગે સ્થાનિકો અને સામાજિક કાર્યકરો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ
દાહોદના ઝાલોદમાં ખાતરની ભારે અછત, ખેડૂતો પરેશાન!
દાહોદ એલસીબી પોલીસે દાહોદ શહેરમાંથી એક પુજારી પાસેથી ગેરકાયદેસર દેશી હાથ બનાવટની પિસ્ટલ, એક પિસ્ટલ એરગન તેમજ બે જીવતા કારતુષ મળી પોલીસે કુલ રૂપીયા ૩૦,૩૦૦નો મુદ્દામાલ કબજે કરી પુજારીની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.

દાહોદ શહેરમાં આવેલ શ્રી લક્ષ્મીનારાયણ મંદિર હનુમાન બજાર, પડાવ વિસ્તારમાં અને મુળ ઉત્તરપ્રદેશ ખાતે રહેતાં પુજારી સાધુ માધવદાસ ગુરૂ ભારતદાસ સાધુ પાસેથી દાહોદ એલસીબી પોલીસે ગત તારીખ ૧૧મી જુલાઈના રોજ પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે દાહોદ શહેરના સહકાર નગરની બાજુમાં આવેલ લક્ષ્મીનારાયણ ગૌશાળામાં જ્યારે ઉપરોક્ત પુજારી હાજર હતાં ત્યારે દાહોદ એલસીબી પોલીસ ત્યાં પહોંચી ઉપરોક્ત પુજારીની પુછપરછ કરતાં પોલીસને સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી પોલીસે ઉપરોક્ત પુજારીના રૂમમાં તલાસી હાથ ધરતાં રૂમમાંથી ગેરકાયદેસર એક દેશી હાથ બનાવટની પિસ્ટલ, એક પિસ્ટલ એરગન તેમજ બે જીવતા કારતુષ એમ કુલ રૂપીયા ૩૦,૩૦૦નો મુદ્દામાલ કબજે કર�
રથયાત્રા પૂર્વે દુગ્ધસ્નાન, જલાભિષેક બાદ મહાઆરતી : 15 દિવસ સુધી ‘અનાસર’ અવસ્થામાં રહી અષાઢી બીજે દર્શન આપશે

દાહોદમાં ભગવાન જગન્નાથજીનો જલાભિષેક મહોત્સવ ઉજવાયો

આગામી રથયાત્રા મહોત્સવની તૈયારીઓ વચ્ચે દાહોદ શહેરમાં ભગવાન શ્રી જગન્નાથજીના જલાભિષેક મહોત્સવને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેઠ સુદ પૂર્ણિમાના પવિત્ર દિવસે 29 જૂન સોમવારના રોજ હનુમાન બજાર સ્થિત શ્રી રણછોડરાયજી મંદિરમાં ભગવાન જગન્નાથજી, ભાઈ બળભદ્રજી અને બહેન સુભદ્રાજીને વિધિવત જલાભિષેક કરવામાં આવ્યો હતો.

જગન્નાથ સંપ્રદાયમાં જેઠ પૂર્ણિમાના દિવસે યોજાતા જલાભિષેકનું વિશેષ ધાર્મિક મહત્વ છે. માન્યતા મુજબ ભગવાનને 108 કળશના પવિત્ર જળ અને દુગ્ધથી અભિષેક કરવામાં આવે છે. આ પ્રસંગને 'સ્નાન પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. જલાભિષેક બાદ ભગવાન 15 દિવસ સુધી 'અનાસર' અવસ્થામાં રહે છે અને ત્યારબાદ અષાઢી બીજના દિવસે ભવ્ય રથયાત્રામાં નગરજનોને દર્શન આપે છે. રથયાત્રા
DYSPના અધ્યક્ષતામાં લીમખેડા પોલીસ મથકે રથયાત્રા પૂર્વે શાંતિ સમિતિની બેઠક યોજાઈ

આગામી રથયાત્રા પર્વને શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવવાના હેતુથી લીમખેડા પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

નાયબ પોલીસ અધિક્ષક, લીમખેડા વિભાગની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં શ્રીરામજી મંદિર કમિટીના સભ્યો, લીમખેડા વિસ્તારના હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ અન્ય આમંત્રિત પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠક દરમિયાન રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે, તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ તમામ ધાર્મિક કાર્યક્રમો શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

પોલીસ તંત્ર દ્વારા ઉપસ્થિત આગેવાનોને તહેવાર દરમિયાન પરસ્પર સૌહાર્દ જાળવવા, અફવાઓથી દૂર રહેવા, સોશિયલ મીડિયામાં ભ્રામક માહિતી ન ફેલાવવા તેમજ કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે તાત્કાલિક પોલી
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ નગરમાં એક ભાડુતીના મકાનમાં અજાણ્યા તસ્કરોએ હાથફેરો કરી મકાનમાંથી રોકડા રૂપીયા ૧૦,૦૦૦ની ચોરી કરી તસ્કરો નાસી જતાં આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.

દેવગઢ બારીઆ નગરમાં ઠાકોરવાડા વિસ્તારમાં રહેતાં વિરેન્દ્રસિંહ પ્રવિણસિંહ બારીઆનું માલિકનું દેવગઢ બારીઆ નગરમાં હરિઓમ નગર-૨ વિસ્તારમાં આવેલ મકાનમાં તાપસકુમાર ગોપબંધુ પુષ્ટિ ભાડેથી રહે છે. ગત તારીખ ૦૮મી જુલાઈના રોજ તાપસકુમાર પુષ્ટિ કોઈ કામ અર્થે બહાર ગામ ગયાં હતાં અને તેઓના ભાડાના મકાનને તાળુ માર્યુ હતું ત્યારે તે રાત્રીના સમયે અજાણ્યા ચોર ઈસમોએ મકાનને નિશાન બનાવી મકાનના મુખ્ય દરવાજાનું તાળુ તોડી તસ્કરોએ મકાનમાં પ્રવેશ કર્યાે હતો અને મકાનમાં મુકી રાખેલ તિજાેરીમાંથી રોકડા રૂપીયા ૧૦,૦૦૦ની ચોરી કરી તસ્કરો નાસી ગયાં હતાં.

આ સંબંધે મકાન માલિક વિરેન્દ્રસિંહ પ્રવિણસિંહ બારીઆએ દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળન�
દાહોદ વિધાનસભા આમ આદમી પાર્ટીના પદાધિકારીની બેઠક યોજાઈ 

દાહોદ ખાતે આમ આદમી પાર્ટીની વિધાનસભા સ્તરની પદાધિકારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠક દાહોદ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ રાકેશ બારીયાની અધ્યક્ષતામાં યોજાઈ હતી.

બેઠક દરમિયાન સંગઠનને વધુ મજબૂત બનાવવા, બૂથ સ્તરે પક્ષની કામગીરીને વેગ આપવા તેમજ આગામી રાજકીય કાર્યક્રમોની રૂપરેખા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સાથે જનસંપર્ક વધારવા, પક્ષની નીતિઓ અને જનહિતના મુદ્દાઓને લોકો સુધી અસરકારક રીતે પહોંચાડવા તેમજ સંગઠનને વધુ સક્રિય બનાવવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠનને ગામડાથી લઈને શહેર સુધી વધુ મજબૂત બનાવવા, નવા કાર્યકરોને જોડવા અને પ્રજાના પ્રશ્નોને પ્રાથમિકતા સાથે ઉઠાવવા અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના વિવિધ હોદ્દેદારો, કાર્યકર્તાઓ અન
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ગરાડીયા ગામે મોટરસાઈકલના ચાલકે મોટરસાઈકલ પુરઝડપે હંકારી લાવતાં રસ્તાની સાઈડમાં આવેલ સાઈન બોર્ડ સાથે મોટરસાઈકલ ધડાકાભેર અથડાવતાં મોટરસાઈકલના ચાલકનું મોત નીપજ્યાંનું જાણવા મળે છે.

સંજેલીના કરંબા ગામે ગુંદી ફળિયામાં રહેતાં ૨૭ મેહુલભાઈ ઈશ્વરભાઈ ડામોર ગત તા.૧૦મી જુલાઈના રોજ નંબર વગરની મોટરસાઈકલ લઈ સંજેલીના ગરાડીયા ગામે રસ્તા પરથી પસાર થઈ રહ્યાં હતાં. મેહુલભાઈ ડામોરે મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવતાં અચાનક મોટરસાઈકલ પરના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં મોટરસાઈકલ રસ્તાની સાઈડમાં આવેલ સાઈન બોર્ડ સાથે ધડાકાભેર અથડાઈ હતી જેને પગલે મેહુલભાઈ ડામોરને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેઓને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવતાં જ્યાં રસ્તામાં મેહુલભાઈ ડામોરનું મોત નીપજતાં પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી.

આ સંબંધે ઈશ્વરભાઈ કીડીયાભાઈ �
દાહોદ નજીક નેશનલ હાઈવે પર અકસ્માતો નિવારવા બાલાજી હોટલ ખાતે મહત્વની બેઠક યોજાઈ
દાહોદના સુખસર તાલુકાના લખાણપુર ગામે થી પશ્ચિમ બંગાળનો ૨૦ વર્ષનો બોગસ તબીબ ને SOG પોલીસે ઝડપ્યો
દાહોદ જિલ્લાના ગરબાડાના દેવધા ગામે લાકડા ભરેલી ટ્રેક્ટર-ટ્રોલીનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો, મોટી જાનહાનિ ટળી

મધ્યપ્રદેશ તરફથી દાહોદ તરફ આવી રહેલી લાકડા ભરેલી ટ્રેક્ટર-ટ્રોલીની ટ્રોલીનું ટાયર અચાનક ફાટતા ટ્રેક્ટરનો કાબૂ બગડ્યો હતો.મળતી માહિતી મુજબ ટ્રોલીમાં મોટા પ્રમાણમાં લાકડાનો જથ્થો ભરેલો હતો. દેવધા ગામ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક જોરદાર ધડાકા સાથે ટ્રોલીનું ટાયર ફાટી ગયું હતું.

ટાયર ફાટતાં ટ્રેક્ટરનું સંતુલન બગડી ગયું અને ટ્રોલીમાં ભરેલા મોટા-મોટા લાકડા રોડ પર વેરાઈ ગયા હતા. જોરદાર અવાજ સાંભળીને આસપાસના સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.સદનસીબે અકસ્માત સમયે ટ્રેક્ટરની નજીક કોઈ અન્ય વાહન કે રાહદારી હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.બાદમાં સ્થાનિક લોકો અને વાહનચાલકોની મદદથી રોડ પર પડેલા લાકડા હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
દાહોદ તાલુકાના ડોકી ગામે આવેલ હેલીપેડ પાસે ત્રણ જેટલા ઈસમોએ બે વ્યક્તિઓને અગમ્યકારણોસ લોખંડની પાઈપ તેમજ બેલ્ટ વડે માર મારી શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડતાં બંન્ને ઈજાગ્રસ્તોને નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે.

દાહોદના ઉસરવાણ ગામે માવી ફળિયામાં રહેતાં ભાવેશભાઈ રતનભાઈ માવી તથા તેમની સાથે સુરેશભાઈ કસુભાઈ નિનામા બંન્ને જણા ગત તા.૦૬ જુલાઈના રોજ દાહોદ નજીક ડોકી ગામે આવેલ હેલીપેડ જતાં રસ્તા પરથી પસાર થઈ રહ્યાં હતાં ત્યારે તે સમયે ત્યાં તેઓની પાસે રાહુલભાઈ જયેશભાઈ નિનામા (રહે.ખરોડ, તા.જિ.દાહોદ), જીજ્ઞેશભાઈ વજાભાઈ ભુરીયા તથા સુનિલભાઈ રસાલભાઈ ભુરીયા (બંન્ને રહે.બોરવાણી, તા.જિ.દાહોદ)નાઓ આવ્યાં હતાં અને અગમ્યકારણોસર બંન્ને યુવકો સાથે ઝઘડો તકરાર કરી એકદમ ઉશ્કેરાઈ ગયાં હતાં અને પોતાની સાથે લાવેલ લોખંડની પાઈપ અને પેન્ટના પટ્ટા વડે ભાવેશબાઈ માવી તથા સુરેશભાઈ નિનામાને માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગ
દાહોદ જિલ્લાનો વધુ એક યુવાન લુટેરી દુલ્હનની છેતરપિંડીનો ભોગ બન્યો

ભાઈ બીમાર હોવાનું બહાનું નાસી ગયેલ લુટેરી દુલ્હન રૂપિયા ૨.૫૭ લાખની મત્તા લઈ ગઈ

આ મામલે લીમડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા લીમડી પોલીસ એક્શનમાં

દાહોદ જિલ્લામાં પ્રકાશમાં આવેલા વધુ એક એક લુટેરી દુલ્હનના કિસ્સામાં ગોવિંદ ગુરુ સ્વમડીતાલુકાના રણીયાર ગામના ૩૦ વર્ષીય યુવાન સાથે ત્રણ દલાલોએ એકબીજાની મલીભગતથી ખોટી લગ્ન વિધિ કરાવી રૂપિયા ૨.૩૧ લાખની ઠોકડ, ચાંદીના પાયલ તથા એક મોબાઈલ ફોન મળી રૂપિયા ૨.૫૭લાખની મત્તા લઈ ભાઈ બિમાર હોવાનું બહાનું બનાવી નાસી જતા લૂંટેલી દુલ્હનની છેતરપિંડીનો ભોગ બનેલ યુવાને પોલીસમાં ફરિયાદ કર્યાનું સત્તાવાર જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગત અનુસાર ગોવિંદ ગુરુ લીમડી તાલુકાના રણિયાર ઇનામી ગામે રાજપુતિ ફળિયામાં રહેતા ૩૦ વર્ષીય વિરેન્દ્રસિંહ વજેસિંહ સોલંકી ને લગ્ન કરવાના હોય તેણે પોતાના ગામના અને લગ્ન ઈચ્છુક યુવાનોને કેટલીક રકમ લઈ લગ્ન ક�
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના થેરકા ગામે સામાન્ય બાબતે બે પક્ષો વચ્ચે થયેલ ઝઘડા તકરારમાં બંન્ને પક્ષો વચ્ચે લાકડીઓ તેમજ છુટ્ટા હાથની મારામારીમાં આઠ જેટલા વ્યક્તિઓને શરીરે ઈજાઓ પહોંચી હોવાનું જ્યારે આ સંબંધે બંન્ને પક્ષો દ્વારા સામસામે પોલીસમાં ફરિયાદ નોંધાંવી હોવાનું જાણવા મળે છે.

ઝાલોદના થેરકા ગામે ભાભોર ફળિયામાં રહેતાં સંજયભાઈ વાલસીંગભાઈ ભાભોરે ઝાલોદ પોલીસ મથકે નોંધાંવેલ ફરિયાદમાં જણાવ્યાં અનુસાર, ગત તા.૦૮મી જુલાઈના રોજ સંજયભાઈ ભાભોર તથા તેમની સાથે હકલાભાઈ મનસુખભાઈ ભાભોર, સુમનભાઈ સુરસીંગભાઈ ભાભોર તથા સમુભાઈ મનસુખબાઈ ભાભોરનાઓ થેરકા ગામેથી પસાર થઈ રહ્યાં હતાં ત્યારે તે સમયે ત્યાં હાથમાં લાકડી લઈ આવેલ ગામમાં રહેતાં મકનભાઈ ટીટાભાઈ ભાભોર, મિતેશભાઈ ગજાભાઈ ભાભોર, શકનભાઈ વજાભાી ભાભોર, નિતેશભાઈ ટીટાભાઈ ભાભોર અને શૈલેષભાઈ ગજાભાઈ ભાભોરનાઓએ સંજયભાઈ ભાભોર તથા તેમની સાથેના માણસો સાથે અગમ્યકારણોસર ઝઘડો તકરાર કરી, બેફામ ગ�
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના બોરિયાલા ગામ ખાતે 8 વર્ષીય બાળકીને સાપએ કરડી ખાતે બાળકીનું મોત
સુખસર તાલુકા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી બેઠકનું આયોજન કરાયું 

બેઠકમાં દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદભાઈ નિનામા, ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ સંજયભાઈ નિનામા, પ્રદેશ સોશિયલ મીડિયા મહામંત્રી રમેશભાઈ ડામોર, રઘુભાઈ મછાર, ગોવિંદભાઈ પરમાર, જિલ્લા સભ્ય મહેશભાઈ મછાર સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત સુખસર, ફતેપુરા અને સંજેલી તાલુકા કોંગ્રેસના પ્રમુખો, જિલ્લા અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા તેમજ પૂર્વ સભ્યો, વિવિધ હોદ્દેદારો અને 150થી વધુ કાર્યકરોએ બેઠકમાં હાજરી આપી હતી.

બેઠક દરમિયાન આગામી 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠનને વધુ મજબૂત બનાવવા, કાર્યકરોને બૂથ સ્તરે સક્રિય કરવા અને જનસંપર્ક વધારવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

આગેવાનોએ કાર્યકરોને સંગઠનની વિચારધારા સાથે લોકો સુધી પહોંચવા અને સ્થાનિક પ્રશ્નોને પ્રાથમિકતા આપીને કાર્ય કરવાની હાકલ કરી હતી.

બેઠકના અંતે તમામ કા�
જિલ્લા અદાલત દાહોદ ખાતે ભવ્ય નેશનલ લોક અદાલતનું આયોજન કરેલ જેમાં રૂ.4,54,02,781/- (અંકે રૂપિયા ચાર કરોડ.ચોપ્પન લાખ.બે હજાર સાતસો એકયાશી પૂરા) સેટલમેન્ટ કરવામાં આવેલ.
નામદાર નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી ન્યૂ દિલ્હી ના આદેશ અનુસાર નામ. ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદ ના માર્ગદર્શન હેઠળ અત્રેના ચેરમેન અને પ્રિન્સિપાલ district જજ એચ.જી.વાઘેલા સાહેબનાં વરદ હસ્તે આજરોજ તા. 11/07/2026 ના રોજ નેશનલ લોક અદાલત નું અયોજન કરવામાં આવેલ.
વધુમાં આજરોજ નેશનલ લોક અદાલતમાં કુલ મુકેલ કેસો 30,355 જેમાં કુલ 13,182 કેસોનો નિકાલ કરવામાં આવેલ જે કુલ કેસોના આશરે 43 % જેટલા કેસો નિકાલ થયેલ. તેમજ રૂ. 4,54,02,781/- (અંકે રૂપિયા ચાર કરોડ બે હજાર સાતસો એકયાશી પૂરા) સેટલમેન્ટ કરવામાં આવેલ છે. આમ, નેશનલ લોક અદાલત માં " કોઈ નો જય નહિ અને કોઈનો પરાજય નહિ" તે આશય સફળ કરવાના હેતુસર નેશનલ લોક અદાલત નું ભવ્ય આયોજન કરવામાં આવેલ.
"પુણેમાં આયોજિત ઓલ ઈન્ડિયા કરાટે કપમાં વિજેતાને દાહોદની ટાઈગર માર્શલ આર્ટ્સ એકેડેમીના રાજ્ય અધ્યક્ષે વિદ્યાર્થીઓને સન્માનપત્ર આપી સન્માનિત કર્યા."
દાહોદ જિલ્લા અદાલતમાં ભવ્ય નેશનલ લોક અદાલત યોજાઈ

નામદાર નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી, નવી દિલ્હી તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લા અદાલત ખાતે નેશનલ લોક અદાલતનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન અને પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ એચ.જી. વાઘેલાના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ લોક અદાલતમાં વિવિધ પ્રકારના કેસોનું સમાધાન દ્વારા નિરાકરણ કરવામાં આવ્યું.

નેશનલ લોક અદાલતમાં કુલ 30,355 કેસો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાંથી 13,182 કેસોનો સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવ્યો. કુલ રજૂ થયેલા કેસોમાંથી અંદાજે 43 ટકા કેસોનું સમાધાન થયું હતું.

આ લોક અદાલત દરમિયાન કુલ રૂ. 4,54,02,781ના સેટલમેન્ટ કરવામાં આવ્યા, જેના કારણે અનેક પક્ષકારોને લાંબી કાયદાકીય પ્રક્રિયામાંથી રાહત મળી હતી.

નેશનલ લોક અદાલતનો મુખ્ય ઉદ્દેશ્ય પરસ્પર સમાધાન અને સહમતિથી વિવાદોનો ઝડપી અને સરળ ઉકેલ લાવવાનો છે. "કોઈનો જય
દાહોદ બસ સ્ટેશનમાં ચાલતું RCC ફ્લોરિંગનું કામ વિવાદમાં સ્થાનિક કાઉન્સિલર ઈસ્તીયાક સૈયદ દ્વારા કામ અટકાવી દેવાયું:એન્જીનીયરની પણ ગેરહાજરી કોઈ જવાબદાર અધિકારી હાજર નહિ
દાહોદ નગરપાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ વિભાગની વિદ્યાર્થીઓએ શૈક્ષણિક મુલાકાત લીધી

સરકારી ઇજનેરી કોલેજ, દાહોદના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે આયોજિત ઇન્ડક્શન કાર્યક્રમ અંતર્ગત દાહોદ નગરપાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ વિભાગની શૈક્ષણિક મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને અગ્નિશામક સેવાઓ, આપત્તિ વ્યવસ્થાપન અને જાહેર સુરક્ષા અંગે વ્યવહારુ જ્ઞાન પ્રદાન કરવાનો હતો.

મુલાકાત દરમિયાન ફાયર વિભાગના અધિકારીઓએ વિદ્યાર્થીઓને ફાયર સ્ટેશનની કામગીરી, વિવિધ પ્રકારના અગ્નિશામક સાધનો, ફાયર ટેન્ડર, રેસ્ક્યૂ ઉપકરણો તથા ઇમરજન્સી પ્રતિસાદ પ્રણાલી વિશે વિગતવાર માહિતી આપી. ઉપરાંત આગ લાગવાની પરિસ્થિતિમાં તાત્કાલિક પ્રતિસાદ કેવી રીતે આપવો, આગથી બચવાના ઉપાયો તથા સલામતીના નિયમો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. 

વિદ્યાર્થીઓને ફાયર ફાઇટિંગ સાધનોનું જીવંત પ્રદર્શન પણ બતાવવામાં આવ્યું, જેને વિદ�
દાહોદ જિલ્લાના ગરબાડાની EMRS ખાતે સ્કૂલ કેપ્ટન અને વાઈસ કેપ્ટન માટેની ઇન્વેસ્ટિચર સેરેમનીનું આયોજન કરાયું 

કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ લોકશાહી પ્રક્રિયા દ્વારા ચૂંટાયેલા સ્કૂલ કેપ્ટન, વાઇસ કેપ્ટન તેમજ વિવિધ હાઉસના કેપ્ટન અને વાઇસ કેપ્ટનને હોદ્દાની જવાબદારી સોંપવામાં આવી.

આ પ્રસંગે વિદ્યાર્થીઓને બેજ પહેરાવી શપથ લેવડાવવામાં આવ્યો. નવા વિદ્યાર્થી આગેવાનોએ શાળાની શિસ્ત જાળવવા, જવાબદારીપૂર્વક નેતૃત્વ નિભાવવા અને અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બનવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.

શાળાના આચાર્ય અને શિક્ષકમંડળે વિદ્યાર્થીઓને સંબોધન કરતા જણાવ્યું કે નેતૃત્વ માત્ર હોદ્દો નથી, પરંતુ જવાબદારી, શિસ્ત, સેવા અને ટીમવર્કની ભાવનાથી કાર્ય કરવાની તક છે. વિદ્યાર્થીઓએ પોતાના કર્તવ્યો નિષ્ઠાપૂર્વક નિભાવી શાળાનું ગૌરવ વધારવું જોઈએ.

ઇન્વેસ્ટિચર સેરેમનીનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં ને�