દાહોદ શહેરના પરેલ વિસ્તારમાં તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના તેમજ એક રાંધણ ગેસનો સિલિન્ડર મળી તસ્કરો કુલ રૂપીયા ૧૭,૦૦૦ની મત્તાની ચોરી કરી લઈ નાસી જતાં આ ચોરીની ઘટનાને પગલે વિસ્તારમાં સ્તબ્ધતા વ્યાપી જવા પામી છે.
દાહોદ પરેલ વિસ્તારમાં સી સાઈડ રેલ્વે કોલોનીમાં રહેતાં શૈલેષકુમાર શીવબચન સિંઘ તથા તેમનો પરિવારજનો ગત તારીખ ૩૧મી જુલાઈના રોજ બહાર ગામ ગયાં હતાં. આ દરમ્યાન કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી શૈલેષકુમાર સિંઘના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. અને મુખ્ય દરવાજાનું તાળુ તોડી મકાનમાં પ્રવેશ કરી મકાનમાં મુકી રાખેલ તિજાેરીમાંથી સોનાની નાકની ચુની, ચાંદીની વિછી તેમજ એક રાંધણ ગેસનો સિલિન્ડર મળી તસ્કરોએ કુલ રૂપીયા ૧૭,૦૦૦ની ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે શૈલેષકુમાર શીવબચન સિંઘએ દાહોદ બી ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Dohad, Dahod | Aug 2, 2026