દાહોદ ખાતે ‘મકાઈની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ’ વિષય પર એક દિવસીય ખેડૂત તાલીમ કાર્યક્રમ યોજાયો
દાહોદ, તા. ૧ ઓગસ્ટ, ૨૦૨૬: કૃષિ સંશોધન કેન્દ્ર, મુવાલિયા ફાર્મ, આણંદ કૃષિ યુનિવર્સિટી, દાહોદ ખાતે ‘સ્ટ્રેન્થનિંગ ઓફ એગ્રી-પોલિક્લિનિક ફોર ટ્રાઇબલ ફાર્મર્સ એટ દાહોદ’ યોજના અંતર્ગત તા. ૩૧ જુલાઈ, ૨૦૨૬ના રોજ “મકાઈની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ” વિષય પર એક દિવસીય ખેડૂત તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ગરબાડા તાલુકાના અભલોડ, પાંદડી, દાદુર તથા ભેહ ગામના આશરે ૮૦ જેટલા ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
ગુજરાતમાં મકાઈ ખોરાક, પશુચારા તેમજ વિવિધ ઔદ્યોગિક ઉપયોગો માટેનો મહત્વનો પાક છે. ખાસ કરીને દાહોદ જિલ્લો રાજ્યના અગ્રણી મકાઈ ઉત્પાદક જિલ્લાઓમાં સ્થાન ધરાવે છે. આધુનિક સંકર જાતો, સંતુલિત ખાતર વ્યવસ્થાપન અને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ અપનાવવાથી મકાઈના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો શક્ય બન્યો છે. આ હેતુને ધ્યાનમાં રાખી ખેડૂતોને આધુન�
Dohad, Dahod | Aug 1, 2026