વલ્લભીપુર: કોંગ્રેસ અધ્યક્ષ દ્વારા ગુજરાતના લોકોને લઈને કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદન બાદ વલ્લભીપુરમાં વિરોધ
ભાજપ દ્વારા આ નિવેદનને ગુજરાતીઓના અપમાન તરીકે ગણાવી વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યા છે. ભાવનગર જિલ્લાના વલ્લભીપુર શહેરમાં ભાજપ કાર્યકરો દ્વારા જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભાજપના કાર્યકરોએ ખારગેના નિવેદન સામે હાથમાં બેનર લઈ મૌન ધારણ કરી કડક કાર્યવાહી કરવાની માંગ કરી.ભાજપના નેતાઓએ જણાવ્યું કે ગુજરાત મહાત્મા ગાંધી અને સરદાર પટેલ જેવી મહાન વિભૂતિઓનું રાજ્ય છે, અને ગુજરાતીઓને “અભણ” કહેવું એ રાજ્યના ગૌરવ પર સીધો હુમલો છે. ખારગેનું