ખંભાત: ઉંદેલની નવાપુરા પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓ માટે મામલતદાર દ્વારા તિથિ ભોજનનું આયોજન કરાયું.
Khambhat, Anand | Aug 11, 2026 ઉંદેલ ગામની નવાપુરા પ્રાથમિક શાળામાં ખંભાતના મામલતદાર જયદેવભાઈ વાંક દ્વારા બાળકો માટે તિથિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના બાળકોને ભાવપૂર્વક ભોજન કરાવવામાં આવ્યું હતું. બાળકોના ચહેરા પર ખુશી અને આનંદ જોવા મળ્યો હતો. તિથિ ભોજન જેવી સેવાભાવી પ્રવૃત્તિ દ્વારા બાળકોના પોષણ સાથે સામાજિક જવાબદારી અને માનવતાના મૂલ્યોને પણ પ્રોત્સાહન મળે છે.મામલતદાર જયદેવભાઈ વાંકનો શાળા પરિવારે પુષ્પગુચ્છ તેમજ શાલ ઉડાડી સન્માન કર્યું હતું.