પાલીતાણા: કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ પાલિતાણાના હણોલમાં ગ્રામજનો સાથે સાયકલ ચલાવી, કાર્યક્રમ કર્યો
કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ પાલિતાણાના હણોલમાં ગ્રામજનો સાથે સાયકલ ચલાવી કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના હણોલમાં ગ્રામજનો સાથે સાયકલ ચલાવી હતી.દિવાળીના પર્વમાં પોતાનાં વતન હણોલ આવેલા કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ગ્રામજનો સાથે મળીને 'Fight Obesity' (સ્થૂળતા સામે લડત)નાં સંદેશ સાથે સાયકલ ચલાવી હતી. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા અને ભાગ લીધો હતો.