હસ્તગિરી વિસ્તારમાં આજે વૃક્ષારોપણ અને બાવળ સફાઈ અભિયાનની શરૂઆત કરવામાં આવી. આ અભિયાન હેઠળ તળાવ ઊંડું કરવું, વરસાદી પાણીનું સંચય વધારવું અને ભૂગર્ભ જળસ્તર ઉંચું લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવશે. પર્યાવરણ સંરક્ષણ માટે યોજાયેલા આ કાર્યક્રમને ખાનગી કંપનીના સહયોગથી વેગ મળ્યો છે. પ્રસંગે મહાજન ટ્રસ્ટી દેવેન્દ્રભાઈ શાહ, ભાજપ અગ્રણી અજયભાઈ શેઠ અને હસ્તગિરીના સરપંચ લાલજીભાઈ વાઘેલા ઉપસ્થિત રહ્યા