ઢેબરીયા તેરસના મેળા નિમિત્તે પાલીતાણા શહેરમાં તા. 28/02/2026 અને 01/03/2026 (બે દિવસ) માટે કેટલાક માર્ગોને એક માર્ગીય જાહેર કરવામાં આવ્યા છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. નિર્ધારિત રૂટ મુજબ વાહનોને શહેરમાં પ્રવેશ-પ્રસ્થાન કરવાનું રહેશે. પોલીસ, મહેસૂલ અને નગરપાલિકાના જાહેરહિતના વાહનોને મુક્તિ આપવામાં આવી છે. નિયમ ભંગ કરનાર સામે કલમ 131 મુજબ કાર્યવાહી કરવામાં આવશે.