વલ્લભીપુર: ગૌમાતાને 'રાષ્ટ્રમાતા'નો દરજ્જો આપવાની માંગ સાથે વલ્લભીપુરમાં મામલતદારને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું
આજે તારીખ 7 મે ના રોજ 2 કલાકે ભાવનગર જિલ્લાના વલ્લભીપુરમાં ગૌ સન્માન આહ્વાન અભિયાન અંતર્ગત ગૌમાતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવાની માંગ સાથે 40 હજાર હસ્તાક્ષર સાથેનું આવેદન પત્ર મામલતદારને સુપરત કરવામાં આવ્યું છે, આ કાર્યક્રમમાં વલ્લભીપુર તાલુકાના ગૌ પ્રેમી લોકો જોડાયા હતા.