તા. 27/11/2025, પાલીતાણા શહેરના કસાઈવાડા વિસ્તારમાંથી કત્લના ઈરાદે બાંધેલા બે ગોવંશ વાછરડાઓ મળ્યા હતા. માહિતી મળતા પોલીસ સ્ટાફે તાત્કાલિક સ્થળ પર પહોંચી ગૌસેવા સમિતિના કાર્યકર્તાઓની મદદથી બંને વાછરડાઓને સુરક્ષિત રીતે છોડાવી ગૌશાળા ખસેડ્યા હતા. પોલીસ દ્વારા ઘટનાને લગતી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.