ગાંધીધામ મનપા દ્વારા કમિશનર મનીષ ગુરવાનીના માર્ગદર્શન હેઠળ ખોડીયારનગર વિસ્તારમા દબાણકારોને નોટીસ પાઠવવામાં આવી, જે દબાણકર્તાઓ દ્વારા સ્વેચ્છાએ દબાણ ખાલી કરવામાં આવ્યા,જે કામગીરીને આગળ વધારતા આજરોજ મનપાના જે.સિ.બી.,ટ્રેકટર, તથા પૂરતા માનવબળ સાથે અંદાજે 160 જેટલા દબાણો દુર કરવામાં આવેલ છે.જે કાર્યવાહી નાયબ મ્યુનિસિપલ કમિશનર સંજયકુમાર રામાનુજ,દબાણ ઇન્સ્પેક્ટર ગાયત્રીપ્રસાદ જોષી, પાણી પુરવઠા વિભાગ અને ઇન્જિનીયરીંગ વિભાગની ટીમ દ્વરા કરવામાં આવી છે.