ગાંધીધામના ટાગોર રોડ પર અવરોધરૂપ બનેલા દબાણો હટાવવા માટે આર&બી વિભાગ અને મહાનગરપાલિકાએ સંયુક્ત મોરચો માંડ્યો છે.તંત્ર દ્વારા તમામ દબાણકર્તાઓને તાકીદ કરવામાં આવી છે કે તેઓ પોતાના કરેલા દબાણો તાત્કાલિક દૂર કરી લે.જો આ દબાણો દૂર કરવામાં નહીં આવે, તો આવતીકાલે એટલે કે તારીખ 21/0/26ના રોજ તંત્ર દ્વારા મેગા ડ્રાઈવ હાથ ધરીને જેસીબીની મદદથી કડક કાર્યવાહી કરવામાં આવશે. ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે આ સંયુક્ત ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે.