જાંબુઘોડા નગરમા શિવજીની ભવ્ય શોભાયાત્રાનુ આયોજન તા.15 ફેબ્રુઆરી રવિવારના રોજ કરવામા આવ્યુ હતુ પરંપરાગત રીતે નીકળેલી આ યાત્રામાં મોટી સંખ્યામા શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. શોભાયાત્રાનો પ્રારંભ નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતેથી કરવામા આવ્યો હતો. જ્યારે આ પ્રસંગે પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકકુમાર દેસાઈ જાંબુઘોડા ગ્રુપ ગ્રામ પંચાયત યુવા સરપંચ જીતકુમાર દેસાઈ સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા