માણાવદર તાલુકાના પીપલાણા ગામે રહેતા ખેડૂત સાથે રેલવેમાં નોકરી અપાવવાના બહાને 32 લાખ રૂપિયાની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. ફરિયાદી ચંદુલાલ છગનભાઈ જાદવના જણાવ્યા મુજબ વંથલી તાલુકાના શાપુરના વિવેક પ્રફુલભાઈ ચૌહાણે તેમના પુત્રને રેલવેમાં ઉચ્ચ અધિકારી તરીકે નોકરી અપાવવાની લાલચ આપી હતી. આરોપીએ રવિ ચોટલીયા અને જસપાલ ભટ્ટી નામના શખ્સોને રેલવે અધિકારી તરીકે ઓળખાવી ટેલિફોનિક વાતચીત કરાવી હતી.