માણાવદરના ગણા ગામે રહેતી પરણિતાને ડિલેવરી બાદ શ્વાસની બીમારી થતા સારવાર દરમ્યાન મોત નિપજયાનું માણાવદર પોલીસ મથકે નોંધાયું છે. આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર માણાવદર પોલીસ મથકે અશ્વીનભાઈ લખમણભાઈ છૈયાએ જાહેર કરેલ કે સોનલબેન હાર્દીકભાઈ મેતા (ઉ.વ.૩૨) ને ડીલેવરી બાદ શ્વાસની બીમારી થતા વધુ સારવાર દરમ્યાન મોત નિપજયાનું જાહેર કરતા પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી છે.