હાલોલ: પાવાગઢ ખાતે શ્રાવણ માસનો શ્રદ્ધાપૂર્વક પ્રારભ,શિવ મહિમ્ન સ્તોત્રના પાઠ સાથે શ્રાવણ માસ દરમિયાન ધાર્મિક કાર્યક્રમો યોજાશે
સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ પાવાગઢ ખાતે મહાકાળી માતાના મંદિરે પવિત્ર શ્રાવણ માસનો તા.13 ઓગસ્ટ ગુરુવારના રોજથી ભક્તિભાવ અને ધાર્મિક માહોલ વચ્ચે પ્રારંભ થયો છે. શ્રાવણ માસને ભગવાન શિવની આરાધના માટે વિશેષ પવિત્ર માનવામાં આવે છે ત્યારે પાવાગઢ ખાતે પણ સમગ્ર શ્રાવણ માસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.