હાલોલ: શ્રી કાલિકા માતાજી મંદિર પાવાગઢ ખાતે હોળી પ્રગટાવાની જાહેરાત કરાઇ,પુજારીએ પ્રતિક્રિયા આપી
શ્રી કાલિકા માતાજી મંદિર શક્તિપીઠ ખાતે હોળી પ્રગટાવાની જાહેરાત કરવામાં આવી છે.ચંદ્રગ્રહણને કારણે 3 માર્ચે દર્શન સમય બદલાયો છે અને ભક્તોને સૂચના આપવામા આવી છે જેમા શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ પાવાગઢ દ્વારા જાહેર કરવામા આવ્યુ છે તા.2 માર્ચ સોમવારના રોજ સાંજે 6 કલાકે મંદિર સ્થળે પરંપરાગત રીતે હોળી પ્રગટાવવામા આવશે. હોળી પ્રગટાવ્યા બાદ સાંજે 7 કલાકે માતાજીની વિશેષ આરતી યોજાશે.તેમ મંદિર ના પૂજારીએ તા.19 ફેબ્રુઆરી ગુરુવારના રોજ પ્રતિક્રિયા આપી હતી