જૂનાગઢના પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે જણાવ્યું હતું કે લાંબા સમયથી જે માંગણીઓ થઈ રહી હતી તેને ધ્યાને રાખીને જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ વિસ્તૃત સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેના આધારે જે વિસ્તારોમાં અજંપાભરી સ્થિતિ કે ભયનો માહોલ હોવાની શક્યતા હતી, તેની દરખાસ્ત રાજ્ય સરકારને મોકલવામાં આવી હતી. સરકારની મંજૂરી બાદ હવે મિલકતની ફેરબદલીની પ્રક્રિયા સંપૂર્ણપણે વહીવટી તંત્રની દેખરેખ હેઠળ આવી ગઈ છે.