ઐતિહાસિક નિર્ણયને આવકારતા વિશ્વ હિન્દુ પરિષદના સહમંત્રી જયેશ ખેસવાણીએ જણાવ્યું હતું કે જૂનાગઢના અમુક સંવેદનશીલ વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવા માટે સમગ્ર હિન્દુ સમાજ છેલ્લા પાંચ-છ વર્ષથી સતત સંઘર્ષ અને પ્રતીક્ષા કરી રહ્યો હતો. આ બાબતે સમાજ દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી, જેનો હવે સરકારે સ્વીકાર કર્યો છે. ખાસ કરીને ખામધ્રોળ અને જોષીપુરા જેવા વિસ્તારોમાં હવે મિલકતોની જે ગેરબંધારણીય રીતે લે-વેચ થતી હતી તેના પર સરકારી અંકુશ આવશે.