દિલ્હીમાં યોજાયેલ AI સમિટમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા આઝાદ ચોક ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી પૂતળાનું દહન કર્યું હતું ..ભારતીય જનતા યુવા મોરચા જુનાગઢ મહાનગર દ્વારા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ભાજપના પદાધિકારીઓના જણાવ્યા અનુસાર, રાહુલ ગાંધીએ દેશની છબી ખરડાય તેવા નિવેદનો કર્યા છે, જેને ભાજપ ક્યારેય સાંખી લેશે નહીં.