મહાશિવરાત્રીના પર્વે નખત્રાણાના ઐતિહાસિક પુંઅરેશ્વર મહાદેવ મંદિરે ઉમટ્યું શ્રદ્ધાનું પૂર મહાશિવરાત્રીના પાવન પર્વે કચ્છના નખત્રાણા તાલુકાના પુંઅરેશ્વર ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. આશરે ૪૦૦ વર્ષથી વધુનો ગૌરવશાળી ઈતિહાસ ધરાવતા આ પૌરાણિક શિવાલયમાં ભાવિકોએ શ્રી પુંઅરેશ્વર મહાદેવના પવિત્ર દર્શન કરી ધન્યતા અનુભવી હતી. શિવાલયમાં 'હર હર મહાદેવ'ના નાદ સાથે ભક્તિમય માહોલ વચ્ચે સૌએ સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી હતી. વિગતો આઠ વાગ્યે મળી હતી