ધારાસભ્ય પી.એમ. જાડેજાની અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાથે સૌજન્ય મુલાકાતગાંધીનગર ખાતે ૧૫મી વિધાનસભાના આઠમા સત્રના પ્રથમ દિવસે ધારાસભ્ય પી.એમ. જાડેજાએ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની સૌજન્ય મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તેમની સાથે રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા અને ધારાસભ્ય કેશુભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ મુલાકાત દરમિયાન સંસદીય કાર્યપ્રણાલી અને વિવિધ વિકાસલક્ષી મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. વિગતો છ વાગ્યે મળી હતી