વંથલી પોલીસ સ્ટેશન ખાતે આજે પી.આઈ આર.બી ગઢવી ની ઉપસ્થિતિમાં વંથલી શહેર ના તમામ સમાજના આગેવાનો સાથે હાલ ચાલી રહેલ પવિત્ર રમજાન માસ અને આવનાર ધુળેટીના તહેવારોને લઈ શહેરમાં શાંતિપૂર્ણ માહોલ અને કાયદો વ્યવસ્થા જળવાય રહે તે હેતુ થી શાંતિ સમિતિ બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું.સાથે સાથે પોલીસના ત્રણ વાત અમારી ત્રણ વાત તમારી કાર્યક્રમ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું.શહેરમાં CCTV કેમેરા,ટ્રાફિક વ્યવસ્થા સહિતના મુદ્દાઓને લઈ ચર્ચાઓ કરી હતી.