આજરોજ શ્રી સરકારી માધ્યમિક શાળા, લાખાપર તાલુકો અંજાર ખાતે દિવ્યાંગ દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના આચાર્ય જયેશભાઈ પીઠડીયા જે ગુજરાત શિક્ષણ સેવા વર્ગ બે ના અધિકારી તરીકે સેવા આપે છે એમના દ્વારા દિવ્યાંગ શિક્ષક મહેન્દ્રભાઈ જેઠવાનું પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શાળાના અન્ય શિક્ષકોએ વિધાર્થીઓ કરણ મોહનભાઈ માતા અને જયદીપ વિરમભાઇ રબારીનું વિશેષ સન્માન કર્યું હતું.