અંજારના ચંદીયામાં રહેતી 18 વર્ષીય રાધાની તેના જ પ્રેમી રાજેશ ભીખાભાઈ રબારીએ મિત્ર રાહુલ રતાભાઈ રબારી સાથે મળી ગળેટૂંપો આપી હત્યા કરી હતી.રાધા સગર્ભા હોવાથી લગ્ન માટે દબાણ કરતી હતી,જેમાંથી છૂટકારો મેળવવા રાજેશે મિત્ર સાથે મળી તેની હત્યા કરવાનું કાવતરું ઘડયું હતું. લગ્નના બહાને ઘરેથી બોલાવી,ગામની સીમમાં ગળું દબાવી હત્યા કરી અને લાશને સિમેન્ટના બ્લોક સાથે બાંધી કૂવામાં ફેંકી દીધી હતી.અંજાર પીઆઈ એ.આર.ગોહીલની ટીમે ગણતરીના કલાકોમાં આરોપીઓની ઝડપ્યા છે