અંજાર: ભીમાસરની કંપનીમાં કામ કરતા યુવાને આત્મહત્યા કરી; સ્યુસાઇડ નોટના આધારે ફરિયાદ નોંધાવાઈ
Anjar, Kutch | Feb 20, 2026 ભીમાસરની રત્નમણિ કંપનીમાં ડિસ્પેચ વિભાગમાં કામ કરનાર મૂળ ઉત્તરપ્રદેશના અમિત રાધેશ્યામ ઉપાધ્યાય નામના યુવાને ટ્રેનમાં આવી જઈને આપઘાત કર્યો હતો.તેને વધુ સારવાર અર્થે અમદાવાદ લઈ જવાતાં તેણે સારવાર દરમ્યાન છેલ્લા શ્વાસ લીધા હતા. તેણે છ પાનાની સ્યૂસાઈડ નોટ લખી, જે પોલીસે જપ્ત કરી હતી,જેમાં પોતાને કાંઈ થાય તો તેની જવાબદારી ભવરદાનની હોવાનું છ પાનાની સ્યૂસાઈડ નોટમાં લખ્યું હતું.ભવરદાન સામે યુવાનની બહેન નુપૂર રાધેશ્યામ ઉપાધ્યાયે ફરિયાદ નોંધાવી હતી.