કરજણ: કરજણ APMC ના વાઇસ ચેરમેને ઝેરી દવા પી ને આપઘાત કરી લેતાં ચકચાર
કરજણ APMC ના ચેરમેન અને કોઠાવ ગામના આગેવાન રજનીભાઈ પટેલે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા કરજણની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.આ દરમિયાન હોસ્પિટલમાં ફરજ પર હાજર ડોકટરે રજનીભાઈ પટેલને મૃત જાહેર કર્યા હતા.જે બાદ રજનીભાઈ પટેલના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે કરજણ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો.જોકે હજુ સુધી રજનીભાઈ પટેલે કરેલા આપઘાતનું રહસ્ય અકબંધ રહ્યું છે.ત્યારે APMC ના વાઇસ ચેરમેને કરેલા આપઘાત પગલે ચકચાર મચી જવા પામી છે.