ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા શહેરના જરૂરિયાતમંદ પરિવારો માટે 'પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) 2.0' હેઠળ નવા લાભાર્થીઓની નોંધણી માટેના ખાસ કેમ્પની જાહેરાત કરવામાં આવી છે.તા.07 ફેબ્રુઆરી અને ત્યારબાદ તા.09 થી 13 ફેબ્રુઆરી 2026 દરમિયાન સવારે 10:30થી સાંજે 6:30 વાગ્યા સુધી મનપા કચેરીના બીજા માળે આવેલા આવાસ યોજના વિભાગમાં ચાલશે.