રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ, ગાંધીધામ હસ્તકના ઘડુલી–સાંતલપુર રોડ અંતર્ગત આવેલા રાપર તાલુકાના બાલાસર-મૌવાણા રોડ સેક્શન વર્ષોથી સિંગલ લેન તરીકે કાર્યરત છે. આ માર્ગ પર સતત ટ્રાફિકની અવરજવર વધી રહી છે. વધુમાં સિંગલ લેન હોવાથી આ માર્ગને સતત નુકસાન થતું રહે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિભાગ દ્વારા સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે.માર્ગને વધુ સુગમ અને સલામત બનાવવાની કામગીરી ચાલી રહી છે.