શહેરના અનેક વિસ્તારોમાં જર્જરિત ઇમારતો, તૂટેલી છતો અને જોખમી માળખાં હોવા છતાં કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે નિર્દોષ નાગરિકોના જીવને સતત જોખમ ઉભું થયું છે. આજની ઘટના માત્ર દુર્ઘટના નથી પરંતુ નગરપાલિકાની ગંભીર લાપરવાહી અને સત્તા પક્ષની નિષ્ફળ વહીવટી વ્યવસ્થાનો જીવંત પુરાવો છે. અગાઉ જર્જરીત ખાડો ધરાશાયી થવાની ઘટના વખતે રાપર શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ રાઠોડે નગરપાલિકાને ચેતવણી આપી હતી