વલ્લભીપુર: બકરી ઈદ નિમિતે વલ્લભીપુરમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ
આજે તારીખ 20 માર્ચના રોજ આગામી આવતા બકરી ઈદના તહેવાર નિમિતે વલ્લભીપુર પોલીસ સ્ટેશન ના પી. આઈ. મકવાણાના પ્રમુખ સ્થાને એક શાંતિ સમિતિની બેઠક નું આયોજન વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં કરવામાં આવ્યું હતું. પી. આઈ. મકવાણા દ્વારા બકરી ઈદનો તહેવાર શાંતિ અને સોહાર્દભર્યાં વાતાવરણમાં ઉજવવાની અપીલ કરી હતી. આ મિટિંગમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.