જળસંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલે ઉકાઈ-કાકરાપાર યોજના અંતર્ગત સુરત અને નવસારી જિલ્લામાં ચાલી રહેલા નહેર સુધારણા કામોની મુલાકાત લીધી. આશરે રૂ. ૧૮૮ કરોડના ખર્ચે ૬૦ જેટલા કામો હાથ ધરાયા છે. મંત્રીશ્રીએ કામરેજના વાવ-ઉંભેળ, બારડોલીના ધામડોદ લુમ્ભા તથા મહુવાના તરસાડી વિસ્તારમાં નહેરોના લાઈનીંગ અને સ્ટ્રક્ચર વર્કનું નિરીક્ષણ કર્યું. નહેરો પાકી બનવાથી પાણીનો બગાડ અટકશે અને છેવાડાના ખેડૂતોને પૂરતું પાણી મળશે.