વલ્લભીપુર: વલ્લભીપુર ઉમરાળા અને સિહોર તાલુકાના ખેડૂતોને કમોસમી વરસાદ થી થયેલ નુકસાનને લઈ કોંગ્રેસ દ્વારા આવેદન
આજે તારીખ 24 માર્ચના રોજ થોડા દિવસ પહેલા થયેલ કમોસમી વરસાદ ને લઈ ખેડૂતોના ઉનાળુ પાકોને ભારે નુકસાન થવા પામ્યું હતું, જેથી કોંગ્રેસ દ્વારા આજે સિહોર ખાતે પ્રાંત અધિકારીને ખેડૂતોને થયેલ નુકસાન સામે સર્વે કરી વળતર ચૂકવવા માંગ કરાઈ હતી , જેમાં વલ્લભીપુર કોંગ્રેસ પ્રમુખ ભગીરથસિંહ ગોહિલ , શક્તિસિંહ ગોહિલ , અશોકભાઈ મકવાણા દ્વારા લેખિત આવેદન પત્ર પાઠવ્યું હતું.