૨૬મી નવેમ્બરે “સંવિધાન દિવસ " ઉજવવામાં આવે છે કારણ કે આ દિવસે ૧૯૪૯માં ભારતની બંધારણ સભાએ ભારતનું બંધારણ અપનાવ્યું હતું. આજનો દિવસ ભારતના બંધારણનુ મહત્વ અને તેના નિર્માણમાં યોગદાન આપનારાઓને સન્માનિત કરવા માટે ઉજવવામાં છે.જે અંતર્ગત રાપર શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભારતના બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને હારારોહણ કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.