વર્ષ 2005 માં અશ્વિનીકુમાર ગૌશાળા નજીક ફરીયાદી પર તલવાર અને આર્મ્સ એક્ટ હેઠળ હુમલો કરવામાં આવ્યો હતો.લોકટોળું એકત્ર થતાં સંતોષ ઉર્ફે શિયુ યાદવ અને સંતોષ ઉર્ફે રાજબહાદુર યાદવ ભાગી છૂટ્યા હતા.વરાછા પોલીસ ચોપડે આ મામલે ગુનો નોંધાયો હતો.જે ગુન્હામાં અલગ અલગ સરનામા બદલી શખ્સો ભાગતા ફરતા હતા.sog એ માહિતીના આધારે વર્કઆઉટ કરી ઉતરપ્રદેશના પ્રયાગરાજથી ઝડપી પાડ્યા હતા.જ્યાં વધુ કાર્યવાહી હાથ ધરી છે.