હાલ જ સુરત શહેર ટ્રાફિક ડીસીપી દ્વારા શહેરના ઓટો મોબાઈલ્સ,ગેરેજવાળાઓ સાથે મળેલી બેઠકમાં હેલોજન અને led એટલે કે મોડીફાઇડ કરેલી લાઇટ ન લગાડવા અંગે યોગ્ય સમજણ આપવામાં આવી હતી.અન્યથા કાર્યવાહીની પણ ચીમકી આપવામાં આવી હતી.છતાં કેટલાક વાહન ચાલકો હજી પણ મોડીફાઇડ લાઇટ લગાડી વાહનો હંકારતા કાર્યવાહી કરવામાં આવી છે.મંગળવારની મોડી સાંજે માન દરવાજા વિસ્તારમાં આવા 60 જેટલા વાહન ચાલકો દંડાયા હતા.જેઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.