ઉમરાળા: ઇદગાહ મસ્જિદ ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા રમજાન ઈદની ઉત્સાહભેર ઉજવણી કરાઇ
આજે તારીખ 21 માર્ચના રોજ સવારે 9:30 કલાકે ઉમરાળા ઇદગા મસ્જિદ ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા રમજાન ઈદની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાજ અદા કરી એકબીજાને ગળે મળી શુભેચ્છાઓ પાઠવી હતી ઉજવણી નિમિત્તે ઉમરાળા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં કાઢી વન માર્ગે આવેલા ઇદગા મસ્જિદે મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદની નમાજ અદા કરવામાં આવી હતી.