ઉમરાળા: ઉમરાળાના વેપારીએ માનવતા મહેકાવી , આધેડને ભૂલી ગયેલું પર્સ પરત કર્યું
આજે તારીખ 16 ફેબ્રુઆરી ના રોજ ઉમરાળા શહેરમાં આવેલ ઇલેક્ટ્રિકની દુકાનમાં એક આધેડ પોતાનું પાકીટ ભૂલી ગયા હતા જેમાં આશરે 12000 જેવી માતબર રકમ હતી , જેની જાણ દુકાન માલિક મુન્નાભાઈ સેલોત ને થતાં તેઓએ પાકીટ માલિકનો સંપર્ક કરી તેઓને તેમના પાકીટ સહિત રકમ સોંપી માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું