સિહોર: શિહોરથી ઘાંઘળી તરફ તેમજ ઘાંઘળીથી શિહોર શહેર તરફ આવતા વાહનો માટે ડાયવર્ઝન રૂટ પરથી વાહનો પસાર કરવાં જાહેરનામું
ભાવનગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એન.ડી.ગોવાણીએ ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ મળેલ અધિકારની રૂઈએ જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. જેમાં ફરમાવ્યું છે કે, શિહોરથી ઘાંઘળી તરફ જતા રસ્તા પર રેલ્વે લાઇનના ફાટક નં.૨૦૫/B પર રેલ્વે ઓવરબ્રીજના કામે તા. ૨૧/૦૪/૨૦૨૬ થી તા.૨૦/૦૫/૨૦૨૬ સુધી શિહોરથી ઘાંઘળી તરફ તેમજ ઘાંઘળીથી શિહોર શહેર તરફ આવતા વાહનો માટે નિયત કરાયેલાં ડાયવર્ઝન રૂટ પરથી વાહનો પસાર કરવાનાં રહેશે. જાહેરનામાં અનુસાર, માત્ર ટુ વ્હીલ અને ફોરવીલ માટે જ છે