અંજાર: વરસામેડી અન્ડરબ્રીજમાં ભુવો પડતા અનેક તર્કવિતર્ક;ગુણવતા,સુરક્ષા સહિતના મુદે તપાસ કરવા લોકમાંગ ઉઠી <nis:link nis:type=tag nis:id=Jansamasya nis:value=Jansamasya nis:enabled=true nis:link/>
Anjar, Kutch | Nov 29, 2025 અંજાર શહેરના વરસામેડી ફાટક પાસે બનેલ અન્ડરબ્રીજ શરૂ થયાના થોડા જ દિવસોમાં બ્રીજમાં ભુવો પડતા હાલ પુરતો અહીંથી વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે.ગત સોમવાર થી અન્ડરબ્રીજ પાસેની આડશો હટાવી લેવામાં આવી હતી.ત્યારબાદ અહીંથી વાહન વ્યવહાર શરૂ થયો હતો.અન્ડરબ્રીજ પાસે ગઈ કાલે રાતથી અહીં અચાનક ખાડો પડયો હતો. ત્યારબાદ આજે સવારના અરસામાં સંબંધિત એજન્સી ધ્વારા આ ખાડામાં ક્રોકેટનુ કામ કરવામાં આવ્યુ હતું. આ કામના કારણે ચાર ચક્રીય વાહનની અવરજવર બંધ કરાઈ હતી.