મોરબીના રહીશ વિરાજ ટ્રેડિંગના માલિક સનતભાઇ જયંતિલાલ શાહે રતનપર ના પ્રવિણભાઇ ડાહ્યાભાઈ પટેલ અને વાલજીભાઇ ડાહ્યાભાઈ પટેલ પાસેથી રૂપિયા નવ નવ લાખ ઉછીના લઈ તે પેટે ચેક આપ્યા હતા જે ચેક બેંકમાં ભરતા રિટર્ન થતા આ અંગે કોર્ટમાં કેસ દાખલા કરાયો હતો જે કેસ ચાલી જતાં કોર્ટે સનતભાઇ જયંતિલાલ શાહને તકસીરવાન ઠેરવી 1 વર્ષની સજાનો હુકમ કર્યો હતો.