ચલથાણ ગામમાં વસતા સ્વ. છોટુભાઈ મોતીરામભાઈ પટેલ (ઉંમર 66) ના અવસાનથી પરિવાર પર આભ તૂટી પડ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. તેમના પરિવારમાં વૃદ્ધ માતા અને ત્રણ દીકરીઓ છે. પરિવારમાં પુત્ર ન હોવા છતાં દીકરીઓએ સમાજમાં સમાનતાનો ઉત્તમ સંદેશ આપતા પિતાને પોતાના હાથે અગ્નિસંસ્કાર આપ્યો હતો. પરંપરાગત માન્યતા મુજબ પિતાને અગ્નિદાહ આપવાનો અધિકાર પુત્રને માનવામાં આવે છે, પરંતુ આધુનિક યુગમાં દીકરીઓને પણ દીકરા સમાન ગણવાની વિચારધારા વધુ મજબૂત બની રહી છે.