પલસાણા: ગંગાધરાના શ્રી શિવશક્તિ રામદેવ અલખધામ ખાતે લક્ષ્મીચંદ બાપુની સમાધિ દિવસ નિમિત્તે ‘શ્રી સંત ભક્ત ચરિત્ર ગાથા’નું આયોજન
Palsana, Surat | Feb 20, 2026 ગંગાધરા ચાર રસ્તા નજીક આવેલ શ્રી શિવશક્તિ રામદેવ અલખધામ ખાતે સંત શ્રી લક્ષ્મીચંદ બાપુના સમાધિ દિવસ નિમિત્તે 19 થી 23 માર્ચ 2026 દરમિયાન ‘શ્રી સંત ભક્ત ચરિત્ર ગાથા’નું પંચદિવસીય પઠન યોજાશે. દરરોજ રાત્રે 8:30 થી 12:00 વાગ્યા સુધી ગાથાનું પઠન સંત શ્રી ઘનશ્યામબાપુ લાખાણી કરશે. 20 માર્ચે સંત શ્રી યોગેશ્વર બાપુ દ્વારા ‘દિવ્ય જ્યોતિ પાઠ’ યોજાશે. કાર્યક્રમ દરમિયાન ધજા–નેજા તથા બંને સમયે મહાપ્રસાદની વ્યવસ્થા રહેશે.