ચલથાણના વિજયનગર અને લક્ષ્મીનગર વિસ્તારમાં છત્રપતિ શિવાજી મહારાજની ૩૯૫મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. જયંતિ પૂર્વ રાત્રે નવનિર્મિત શિવાજી મહારાજના સ્મારકનું અનાવરણ ભાજપ સંગઠન મહામંત્રી અંકુરભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. આયોજકો દ્વારા શિવાજી મહારાજના જીવનચરિત્રને યાદ કરી દેશપ્રેમભર્યું વાતાવરણ સર્જાયું હતું.