પાલીતાણામાં ગુરૂવાર ૧૯ ફેબ્રુઆરીએ પાણી પુરવઠો બંધ રહેશે આજે પાલિતાણા નગરપાલિકા તરફથી મળતી વિગતો અનુસાર પીજીવીસીએલ દ્વારા હસ્તગીરી ફીડર ઉપર નવા કેબલ નાખવાની કામગીરીને કારણે તા.૧૯/૦૨/૨૦૨૬, ગુરૂવારના રોજ જીવાપુર મેઈન પંપીંગ સ્ટેશન પર વિજ પુરવઠો બંધ રહેશે. પરિણામે પાલીતાણા શહેરમાં સમગ્ર દિવસ દરમિયાન પાણી સપ્લાય બંધ રહેશે. જાહેર જનતાને જરૂરી પાણીનો સંગ્રહ રાખવા અને આયોજન કરવા અપીલ કરવામાં આવી છે.