ખંભાત: શહેરમાં વીજ પુરવઠાની સમસ્યા હલ કરવા માટે 1.30 કરોડના ખર્ચે તૈયાર 'જેલ રોડ ફીડર'નું ધારાસભ્ય ચિરાગ પટેલના હસ્તે લોકાર્પણ
Khambhat, Anand | Jul 10, 2026 ખંભાત શહેરમાં છેલ્લા ઘણા સમયથી વીજ પુરવઠાને લગતી સમસ્યાઓ સર્જાતી હતી. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે ગુજરાત સરકાર દ્વારા મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. આજ રોજ મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા 'જેલ રોડ ફીડર'નું ઉદઘાટન કરવામાં આવ્યું છે.ધારાસભ્ય ચિરાગભાઈ પટેલના વરદ હસ્તે સ્વીચ ઓન કરી જેલ રોડ ફીડરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.આગામી સમયમાં સમગ્ર ખંભાત શહેરમાં અંડરગ્રાઉન્ડ કેબલિંગની યોજના પણ તબક્કાવાર અમલમાં મૂકવામાં આવશે.